જામનગરમાં સોની વેપારીને ચેક રીર્ટન કેસમાં 17.40 લાખનો બમણો દંડ, 2 વર્ષની સજા

0
5683

જામનગરમાં સોની વેપારીને ચેક રીર્ટન કેસમાં મૂળ રકમની બમણો દંડ અને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

  • ચેક રીર્ટનના કેસમાં સૌની શખ્સને ૧૭,૪૦,૦૦૦/- નો દંડ તથા બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ
  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ ઝાલા તેમજ હાઈકોર્ટના નિરલ ઝાલાની ધારદાર દલીલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ સપ્ટેમ્બર ૨૩ જામનગર આ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા (સોની)ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરિયાત હોવાથી તે આ કામના ફરીયાદી પાસેથી કટકે-કટકે રકમ રૂ..૮,૭૦,૦૦૦/- લીધેલા હતા. અને આ રકમની પરત ચુકવણી કરવા માટે ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, દિગ્વિજય પ્લોટ, જામનગર શાખાનો રૂા.૮,૭૦,૦૦૦/-  નો ચેક આપેલ હોય અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે. તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી.

જેથી ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા દ્વારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા “ફંડસ ઇનસફીસીયન્ટ” ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહી. જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગરની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય. ત્યારબાદ ૨૦૧૯ થી લાંબો સમય સુધી આ મેટર ચાલેલ હોય જેમાં ફરિયાદ પક્ષે તેમના પુરાવા રજુ કરેલ હોય અને આરોપીએ તેનો બચાવ રજુ કરેલ હોય જેમાં આરોપી પક્ષ દ્વારા ફરિયાદીની આર્થિક સક્ષમતા ન હોય અને ચેક કાયદેશરની લેણી રકમનો ન હોય તેવો બચાવ લીધેલ પરંતુ તે બચાવ ફરિયાદીના પુરવાનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ હોય તેવું કોર્ટ દ્વારા તારણ કાઢવામાં આવેલ અને ફરિયાદ પક્ષની દલીલો અને કેસના રેકોર્ડ ધ્યાને લઇ નામદાર કોર્ટે કાયદાકીય ચર્ચા અને સંજોગો ધ્યાને લેતા ફરિયાદી પોતાની ફરિયાદ નિશંકપણે પુરવાર કરવામાંઆવેલ અને ફારયાદ પક્ષના દલાલા બળ કાળા રંગ પ્લાન લઇ ગાનાર ગા ગલબાપ ચર્ચા અને સંજોગો ધ્યાને લેતા ફરિયાદી પોતાની ફરિયાદ નિશંકપણે પુરવાર કરવામાં સફળ રહેલ છે. તેવું નામદાર કોર્ટે માનેલ અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા (સોની)ને તકસીરવાર ઠરાવીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂ. .૧૭,૪૦,૦૦૦/- નો દંડ કરવામા આવેલ છે, અને જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર મહીનાની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.

આ કામે ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હાઇકોર્ટના યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.