જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળા માટે તા.6 થી 14 પંચાયત સુધીનો રસ્તો બંધ

0
1257

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના લોકમેળા માટે તા.6 થી 14 પંચાયત સુધીનો રસ્તો બંધ

  • મોટા વાહનો માટે સાતરસ્તા, પવનચકકી, લાલપુર બાયપાસ અને ઇન્દીરા માર્ગ ચાલું રહેશે

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ સપ્ટેમ્બર 23 જામનગરના પ્રદર્શન મેદાનના લોકમેળામાં સ્વચ્છતા અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે, મ્યુ. કમિશ્નરના આદેશથી સાત રસ્તાથી જીલ્લા પંચાયત સુધીનો રસ્તો તા. 6 થી તા. 14 સુધી બંધ રાખવા અધિક કલેકટર જાહેરનામું બહાર પાડ્યું છે અને મોટા વાહનો માટે સાત રસ્તા, પવનચક્કી, લાલપુર બાયપાસ અને ઇન્દીરા માર્ગ ચાલુ રાખવા આદેશ કરાયો છે.

ટ્રાફીકની અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે તા. 6 થી તા. 14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તાથી જિલ્લા પંચાયત સર્કલ સુધી તમામ વાહનોને અવરજવર કરવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડી દેવાયું છે અને વિકલ્પમાં ઇન્દીરા માર્ગ પરના સાંઢીયા પુલ તથા લાલપુર બાયપાસ ચોકડી પરથી વાહનો ચલાવવામાં જણાવાયું છે.