જામનગર નાગેશ્વરમાં કોળી યુવાનની ધાતકી હત્યા : જુવો VIDEO

0
12666

જામનગર નાગેશ્વરમાં કોળી યુવાનની ધાતકી હત્યા

  • જૂની અદાવતનો ખાર કારણભૂતઃ પોલીસ કાફલો દોડી ગયો

દેશ દેવી ન્યુઝ તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ધાપા નામના કોળી યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ છરીના આડેધડ ઘા જીકી દેતા યુવાનને લોહી લુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો, અને તાત્કાલિકની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડતા બનાવો હત્યામાં પલટાયો હતો.સૂત્રમાંથી મળતી માહિતી મુજબ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ધાપા નામના યુવાન તે જ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સો સાથે જૂની તકરાર ચાલતી હોય તેનો ખાર રાખી ત્રણેય શખ્સોએ સંજ્યને આડેધડ છરીઓના ધા ઝીંકી દેતા યુવાને સારવાર પહેલા દંમ તોડ્યો હતો બનાવની જાણ ના પગલે સીટી-બી ડિવિઝનના પી.આઈ હરદીપસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા કોઈ અનિચ્છનિય બનાવ ‘ન’ બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુવાનની હત્યાના પગલે હોસ્પિટલ ખાતે પરિવારજનો દોડી ગયા હતા હાલ તો પોલીસે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.