જામનગર ગ્રેઇન માર્કેટમાં ”નિશાચરો” મોકળું મેદાન : ખાંડના બાચકા ઉઠાવી ગયા

0
1888

જામનગરની ગ્રેઈન માર્કેટની નામાંકીત પેઢીમાં ચોરી, સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ ઓગસ્ટ ૨૩ : શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી રમણીકલાલ દામોદરદાસ ની વેપારી પેઢીમાં ગઈ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જે પેઢીમાં તસ્તરોએ બારીના સળિયા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સૌપ્રથમ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી ગયા હતા, ત્યારબાદ વેપારી પેઢી ની અંદર રહેલા કબાટ ને તોડી નાખી માલ સામાન વેરણ છેરણ કર્યો હતો, જ્યારે અંદર રહેલી તિજોરી ને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ થયા ન હતા. તેથી તસ્કરોએ વેપારી પેઢીમાં રાખવામાં આવેલી ખાંડ ની ગુણીઓનો કેટલોક જથ્થો ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટનાની આજે સવારે વેપારી પેઢી ખોલતી સમયે જાણ થવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. આસપાસના વિસ્તારના અન્ય સી.સી ટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.