જામનગના ધરારનગરમાં માતા-પુત્રી ઉપર ધોકાવારી

0
6850

જામનગના ધરારનગરમાં માતા-પુત્રી ઉપર ધોકા વડે હુમલો

  • ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે માતા પુત્રીને બેફામ માર માર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ ઓગસ્ટ ૨૩: જામનગરના ધરારનગરમાં દંપતિને બોલાચાલી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ધોકા વડે માતા-પુત્રીને માર માર્યો હતો જે અંગે ધરારનગરના એક શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જામનગરના ધરારનગર-૨ ખાતે રહેતી રઝીયાબેન નુરમામદ લોરુ (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગઇકાલે સીટી-બીમાં ધરારનગર-2માં રહેતા અકબર સલીમ ખુરેશીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદી પોતાના માતાના ઘરે રીસામણે આવેલ હોય, દરમ્યાન તા. ૧૦ ના રોજ આરોપી અકબર તથા તેની પત્ની સાયરા બંને બોલાચાલી કરતા હતા, આ વેળાએ ફરીયાદી તથા સાહેદ નુરીબેન બંનેને ઝઘડો કરવાની ના પાડી હતી આથી આરોપી અકબરે ઉશ્કેરાઇને રઝીયાબેન તથા તેના માતાને અપશબ્દો કહી ધોકા વડે ફરીયાદીને પગમાં માર મારી નીચે પાડી દીધી હતી તેમજ નુરીબેનને ધોકા વડે વાંસા અને પગમાં ઘા ઝીંકી મુંઢ ઇજાઓ પહોચાડી હતી.