જામનગર ઢીંચડામાં રખડતા ઢોરની હડફેટે ચઢેલા પ્રૌઢનું મોત

0
2187

ઢીંચડામાં રખડતા ઢોરની હડફેટે ચઢેલા પ્રૌઢનું મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ ઓગસ્ટ ૨૩: ઢીંચડા ગામ ના ત્રેસઠ વર્ષના ખેડૂત બુઝુર્ગને ગાય એ હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બનાવી દીધા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ઢીંચડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જુસબભાઈ ઇબ્રાહીમભાઈ ખફી (63 વર્ષ) કે જેઓ પોતાના બાઇકની ઘોડી ચડાવીને તેના પર બેઠા હતા. દરમિયાન દોડીને આવી રહેલી ગાયો મોટરસાયકલ સાથે અથડાઇ પડતાં જુસબભાઈ નીચે પટકાઈ પડ્યા હતા, અને પાંસળીઓ ભાંગી જવાથી ઇજાગ્રસ્ત બન્યા હતા.

જેઓને સૌપ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રીફર કરાયા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે. જે અકસ્માત મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.