કિરીટ જોશીની હત્યાના આરોપી  જયેશ પટેલ સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ.

0
426

કિરીટ જોશીની હત્યાના આરોપી  જયેશ પટેલ સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ જામનગર 30.
જામનગરના ચર્ચાસ્પદ કિરીટ જોશી હત્યાકાંડ ના આરોપી જયેશ પટેલ સહિત પકડાયેલા ત્રણેય આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવા નું સામે આવતા ચાર ની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ચકચારી પ્રકરણમાં જામનગર પોલીસ દ્વારા ટુકડી બનાવી જુદા જુદા રાજ્યોમાં તપાસ આદરવામાં આવી હતી દરમિયાન ખુલ્લી વિગતોના આધારે સીટી એ ડીવીઝન માં ગુનો દાખલ કરી તપાસ  આગળ આવી છે.

જામનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી જયેશ પટેલ ની ગુનાખોરી ને નાબુદ કરવા તપાસ નો ધમાલ ચલાવવામાં આવ્યો હતો કિરીટ જોશી હત્યા કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીને ૧૨ દિવસના રિમાન્ડ સાથે જુદી જુદી દિશામાં તપાસનો દોર આગળ વધાર્યો છે.

પકડાયેલા આરોપીઓએ કિરીટ જોશી ની હત્યા બાદ ચાર દેશ અને સાત રાજ્યોમાં રોકાયા હોવાનું કબૂલાત આપી હતી તપાસમાં આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજ ઉપયોગ  કરી પાસપોર્ટ બનાવ્યાનું તપાસમાં ખોલવા પામેલ આથી જયેશ પટેલ અને હત્યા કેસના ત્રણેય આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ સીટી એ ડીવીઝન માં તમામ આરોપી સામે આઈપીસી કલમ -120 (બી), ૪ર૦,૪૬૫,૪૬૮, ૪૭૧ મુજબ ફરીયાદ  દાખલ કરવામાં આવી છે.