ખંભાળિયામાં બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુથી અરેરાટી

0
2109

ખંભાળિયામાં બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૯ જૂન ૨૩ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી ચાર વર્ષની એક બાળકીને બુધવારે મમતા દિવસના રોજ ૨સી અપાયા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલા સંજયનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા ભારતીબેન પેથાભાઈ વાઘોરા નામના મહિલા તેણીની ચાર વર્ષીય પુત્રી વર્ષાબેનને સાથે લઈ અને ગઈકાલે બુધવારે મમતા દિવસ હોય, આ બાળાને રસી અંગેનું ઇન્જેક્શન આપવા માટે નજીક સંજયનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે લઇ ગયા હતા. જ્યાં આ બાળાને ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

આ પછી બાળકીની તબિયત લથડતા તેણીને પ્રાથમિક સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ રસ્તામાં જ આ બાળાએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતક બાળાના માતા ભારતીબેને અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.