જામનગર લોનના હપ્તા ‘ન’ ભરી શકતા સતવારા પ્રોઢે આયખું ટુંકાવ્યું

0
3986

લોનના હપ્તા ન ચૂકવી શકનાર જામનગરના પ્રૌઢે આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર: લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના વતની અને હાલમાં જામનગરના ગોકુલ નગર પાસે લક્ષ્મીનગરની શેરી નં.3માં રહેતા કરશનભાઈ અરજણભાઈ કટેશીયા (47) એ ગઈકાલે સવારે પોતાના ગામ-મોટી રાફુદળમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. દવાની વિપરીત અસર થતાં બેશુદ્ધ બની ગયેલા કરશનભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ એ પોલીસ ને જાણ કરી છે. આથી લાલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી.

મૃતક પ્રૌઢ દ્વારા આઈડીબી આઈ તથા એચડીબી બેંકમાંથી લોન મેળવાઈ હતી. જેના બે-ત્રણ હપ્તા ચૂકવવાના બાકી હતા તેનું ટેન્શન અનુભવતા કરશનભાઈએ ગઈકાલે પોતાના ગામના વાડી વિસ્તારમાં આવેલા મકાને ઝેર પીધું હોવા નું ખૂલ્યું છે.