જામનગર : પતિને મરી જવા મજબૂર કરનાર પત્નિ સામે ફરીયાદ

0
6184

લાલપુરના આરબલુસમાં પતિને મરી જવા મજબુર કરનાર પત્ની સામે ફરિયાદ મૃતકની પત્ની સામે મૃતકના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

  • ગત મહિને પતિએ શરીરે ડીઝલ છાંટીને સળગીને આપઘાત કરી લીધો હતો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જૂન ૨૩ જામનગર લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં પત્નીએ ઘરખર્ચના પૈસા બાબતે પતિને ત્રાસ આપીને મરી જવા મજબુર કર્યાની મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકના પત્નીની ધરપકડ કરવાની તજવીજ હાય ધરી છે. આરબલુસ ગામમાં રહેતા અજયભાઈ ભાવેશભાઈ સાપરીયા (ઉ.વ.૩૪) નામના યુવાને ગત તા.૧૭ ના રોજ પત્ની સાથે ઘરખર્ચના પૈસા બાબતે થયેલી બોલાચાલીમાં શરીરે ડીઝલ છાટી સળગી જઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવમાં મૃતક અજયભાઈના મોટાભાઈ સંજયભાઈ ભાવેશભાઈ સાપરીયા (રે.જામનગર શહેર ખોડીયાર કોલોની જડેશ્વર મંદિર પાસે) એ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ મૃતક અજયભાઈને તેમની પન્ની પરીતબેન અજ્યભાઈ સાપરીયા છેલ્લા સાનેક વર્ષથી ધરખર્ચના પૈસા બાબતે અવાર-નવાર બોલાચાલી કરીને ઝગડો કરીને માનસિક ત્રાસ આપતા હતાં. પત્નીના ત્રાસના કારણે તેમના ભાઈ અજયએ આપઘાત કરી લીધો છે. જેથી પોલીસે પત્ની સામે પતિને મરી જવા મજબુર કપિનો ગુનો નોંધીને PSI એમ.એન જાડેજાએ તપાસ હાથ આરોપી પત્નીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.