જામનગર આવાસમાં યુવાન ચોથા માળેથી પટકાતા મોત: ધક્કો માર્યો હોવાનો પરિવારનો આક્ષેપઃ જુવો VIDEO

0
6491

જામનગરના મોહનનગર આવાસમાંમાં ચોથા માળેથી પટકાતા યુવાનનું ટૂકી સારવાર બાદ મોત

  • યુવાનને ધક્કો માર્યો હોવાનો પરીવારનો આક્ષેપ: પોલિસે તપાસ આરંભી

દેશ દેવી ન્યૂઝ જામનગર: તા.૨૫ મે ૨૩ જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર પાસે આવેલા આવાસના બ્લોક નંબર 103 માં રહેતો ચંદ્રેશ લાલજીભાઈ ઇડરીયા નામનો પ્રજાપતિ યુવાન કે જે ગઈકાલે મોડી સાંજે પોતાના બ્લોકમાં ચોથા માળની આગાસી પરથી પટકાઈ પડ્યો હતો, અને ગંભીર ઈજા થવાથી તેનુ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અતુલભાઇ લાલજીભાઈ ઇડરીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન ના PSI ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરીછે. પરિવારજનો દ્વારા કોઈએ ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલામાં પોલીસ ઉંડાણ પૂવર્ક તપાસ ચલાવી રહી છે.