1લી એપ્રિલ સુધી જામનગર માર્કેટિંગ યાર્ડ અને લાલપુર માર્કેટ યાર્ડ બંધ.

0
87

1લી એપ્રિલ સુધી જામનગર માર્કેટિંગ યાર્ડ અને લાલપુર માર્કેટ યાર્ડ બંધ.

જામનગર : હાપા માર્કેટીંગ યાર્ડ તા. ર4-માર્ચથી 1લી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવનાર છે.

આથી કોઈપણ જણસની હરાજી થશે નહીં. માર્ચ એન્ડીંગના કારણે વેપારી એસોસિએશનની માંગણીના અનુસંધાને હાપા માર્કેટ યાર્ડને તા. ર4-3-ર0ર1 થી તા. 1-4-ર0ર1 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

તા. ર-4-ર0ર1 થી યાર્ડમાં રાબેતા મુજબ કામકાજ થશે. તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.

લાલપુરના ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને જાણ કરવામાં આવે છે

કે વેપારી એસોસિએશન દ્વારા માર્ચ એન્ડીંગના હિસાબે તા. 24-3-21 થી તા. 1-4-21 સુધી માર્કેટીંગ યાર્ડનું હરાજીનું કામકાજ બંધ રહેશે.

તા. 2-4-21થી માર્કેટીંગ યાર્ડનું હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૃ થઈ જશે.