જામનગર અંધાશ્રમ આવાસમાં કુખ્યાત મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું : બે અધુરા આશિક પાંજરે

0
9864

જામનગરના અંધાશ્રમ નજીક આવાસ કોલોનીમાં એલસીબી ત્રાટકી: મહિલા સંચાલીત કુટણખાનું ઝડપાયું

  • અંધાશ્રમ પાસેના આવાસની કુખ્યાત મહિલા અને બે પુરૂષ ગ્રાહકો પકડાયા
  • અચાનક LCBએ દરોડા પાડતા આવાસમાં રહીશોનો મેળો ભરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ મે ૨૩ જામનગર શહેરના અંધાશ્રમ, આવાસ કોલોની બ્લોક નં. 45 માં પોલીસે રાત્રે આઠ વાગ્યે રેડ પાડતાં નીતાબેન મહેન્દ્રભાઇ વાળા લુહાર નામની મહિલા પોતાના મકાનમાં બહારના રાજયમાંથી મહિલાઓને બોલાવી તેમની પાસેથી દેહવિક્રયનો ધંધો કરતી હોવાનું માલુમ પડયું હતું. પુછપરછ દરમિયાન સલીમભાઇ ઇકબાલભાઇ મનસુરી (સીલ્વર સોસાયટી) અને નીખીલ ઓટા કુઝહીયલ મુળ અર્નાકુલમ હાલ મોટી ખાવડી નામના બંન્ને શખ્સો ગ્રાહકો તરીકે મહિલાઓ સાથે દેહ સંબંધ બાંધવા આવ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂા. 1700 બે સેલફોન સહિત રૂા. 16,700ના મુદામાલ સાથે ધરપકડ કરી ઇ.પી.કો. કલમ 370 (3) તથા ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શનની અલગ-અલગ કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે.