ગળાડૂબ પ્રેમમાં ફૈઇ-ભત્રીજાનો સજોડે આપધાત

0
3937

દેવ ભૂમિ દ્વારકાના કુરંગા નજીક ફૈઈ-ભત્રીજા એ સજોડો આપઘાત કર્યો

  • કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા યુવાને અને રાવલ ગામે રહેતી પરિણીત મહિલાએ સંગાથે જીંદગીનો અંત આણ્યો 

દેશ દેવી ન્યુઝ જામનગર જામખંભાળિયા તા.૦૩મે ૨૩ :કલ્યાણપુર તાલુકાના ગામોમાં રહેતા ફૈઈ અને ભત્રીજાએ દ્વારકા તાલુકાના કુવરંગા ગામે જઈને ઝેર ગટગટાવી આપઘાત કરી લીધાનું જાહેર થયું છે.

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ વાઘેલા નામના 21 વર્ષના દેવીપુજક યુવાન તથા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા શારદાબેન મેરૂભાઈ ચૌહાણ 30 નામના પરિણીત મહિલાઓ વચ્ચે પ્રેમ સંબંધ હોય, જેથી આ બંને યુવાન-યુવતી થોડા દિવસ પૂર્વે ભાગી ગયા હતા. આ બંને ફોઈ-ભત્રીજો થતા હોય, તેથી તેઓના લગ્ન થઈ શકે તેમ ના હોવાથી સમાજમાં નીચું જોવાનું થશે તેમ તેવી પરિસ્થિતિ હોવાથી વિજયભાઈ તથા શારદાબેને દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલા એક મંદિર પાસે ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગેની જાણ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ રામાભાઈ વાઘેલા (ઉ.વ. 24) એ દ્વારકા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.