જામનગરના મેઘપરમાં પ્રેમી સાથે વાત કર્યા બાદ પ્રેમીકાએ જીવનલીલા સંકેલી

0
4537

લાલપુરના મેઘપરમાં પ્રેમી યુવક સાથે વાતચીત કર્યા બાદ પ્રેમીકાએ જિવનલીલા સંકેલી..

  • આત્મહત્યાના વધતા જતા ચિંતાનો વિષય

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ એપ્રિલ ૨૩: જામનગર લાલપુર તાલુકાના મેઘપર ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતાં અને મજૂરી કામ કરતા ધર્મેશભાઈ પરમાર નામના કુંભાર આધેડની પુત્રી ચાંદનીબેન પરમાર (ઉ.વ.20) નામની યુવતીને જોગવડ ગામમાં રહેતાં ધર્મરાજસિંહ માધુભા કેર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. દરમિયાન બુધવારે બપોરના સમયે યુવક સાથે ફોનમાં વાતચીત કરતી હતી. ત્યારબાદ કોઇ કારણસર તેના રૂમમાં પીઢીયાની પાપડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને પ્રથમ મોટી ખાવડીની હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.આ અંગેની મૃતકના પિતા ધર્મેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી હતી.