જામનગરના મસીતીયા ગામે યોજાઈ અશ્વદોડ: સૌરાષ્ટ્રના નામાંકીત અશ્વોએ ભાગ લીધો

0
3858

જામનગરના મસીતીયામાં હજરત કમરૂદ્દીન શાહ બાબાના 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે યોજાણી અશ્વ રેસ.

  • જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડની રેસ યોજાઈ અલગ અલગ ગામના નામાંકીત અશ્વો સાથે ઘોડેસવારોએ ભાગ લીધો
  • અશ્વોની રેસ સાથે ઉંટગાડીની દોડનું આયોજન બન્યું આર્કષણનું કેન્દ્ર
  • વિજેતા ઘોડેસવારને સાફો પહેરાવી સન્માન કરવામા આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૯ માર્ચ ૨૩ જામનગર શહેર નજીક આવેલ મસીતીયા ગામમાં ગઈકાલે વહેલી સવારે હઝરત કમરૂદ્દીન શાહ બાબાની 125 માં ઉર્ષ મુબારક નિમિત્તે અશ્વરેસ નું આયોજન કરાયું હતું જેમા સૌરાષ્ટ્રના નામાંકીત અશ્વો સાથે ધોડેસવારોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને ઉંટગાડી દોડે ખાસુ આકર્ષણ જમાવ્યું હતું.મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભર ભાગ લીધેલ મસીતીયા ગામમાં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભર ભાગ લીધેલ.મસીતીયા ગામમાં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે અને ખાસ કરીને ધૂળેટીના દિવસે યોજાતી રેસમાં દાતાશ્રીઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ આયોજન રાખવામાં આવતું હોય છે.