જામનગરમાં કપાતર પુત્ર અને પુત્રવધૂના હાથે પિતાની કરપીણ હત્યા : જુવો VIDEO

0
3888

જામનગરમાં પુત્ર-પુત્રવધૂએ પિતાને ખાટલા સાથે બાંધીને ગળેટૂંપો દઈ હત્યા કરી નાખતા ખળભળાટ

  • ખાટલા સાથે બાંધી ગળેટૂંપો દઈ કરી હત્યા
  • હત્યા કરી ફરાર થઈ ગયેલા દંપતીની ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ ફેબ્રુઆરી ૨૩ જામનગર ગોકુલનગર પાસેના સરદારનગર શેરી નં-૭ માં રહેતા પરપ્રાંતિય આધેડની ખાટલા બાંધી મોઢે ડૂચો દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણના પગલે LCB તથા સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તપાસ આરંભી હતી જેમાં પરિવાર શંકાના દાયરામાં હોવાથી પુત્ર અને પુત્રવધુની શોધખોળ હાથ ધરી તેને દબોચી લીધા હતા અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં ચોરીના ટેવવાળા પુત્રને પિતાએ ઠપકો આપતા કપાતર પુત્ર અને પુત્રવધુએ મળીને પિતાને ખાટલા સાથે બાંધીને મોઢે ડુચો દઈને દોરી વડે ગળાફાંસો આપીને કરપીણ હત્યા નિપજાવી નાશી છુટતાં ચકચાર મચી જવા પામી છે. વેસ્ટ બંગાળના વતની અને હાલ જામનગર શહેરના ગોકુલનગર સરદારનગર શેરીનં-૭માં ભાડાના મકાનમાં રહેતા શંકરદાસ ભૂધરદાસ બાવાજી (ઉ.વ.૫૫) નામના આધેડ પોતાના પુત્ર સુનિલદાસ સાથે રહેતા હોય અને સુનિલ ચોરી કરવાની ટેવવાળો હોવાથી પિતા-પુત્રને અવાર-નવાર ઝગડા થતા હતાં. બે દિવસ પહેલા સુનીલે કોઈ જગ્યાએ ચોરી કર્યાની પિતાને શંકા જતાં ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખીને ગતરાત્રીના પુત્ર સુનિલદાસ શંકરદાસ બાવાજી અને પુત્રવધુ સુનૈના સુનીલદાસ બાવાજીએ ઉશ્કેરાઈ જઈને પિતા શંકરદાસને ખાટલામાં હાથ-પગ દોરી વડે બાંધી દઈને મોઢે ડુમો દઈને દોરીથી ગળાફાંસો આપીને હત્યા નિપજાવીને દંપતિ ત્રણ પુત્રી અને બે પુત્રો સાથે નાશી છુટ્યા હતાં બાદમા પોલીસે ઝડપી લીધા હતા. સવારે આ બાબતની જાણ થતાં આજુબાજુમાં જ રહેતા અન્ય પુત્રો તેમજ પત્ની સહિતના પરિવારજનો પહોંચી ગયા હતાં અને પોલીસને જાણ કરતાં

સીટી-સીના પીઆઈ પી.એલ.વાઘેલા તેમજ એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.મૃતકના પુત્ર અનિલદાસ શંકરદાસ બાવાજીએ પોલીસમાં મોટાભાઈ સુનિલદાસ અને ભાભી સુનૈના સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પુત્ર અને પુત્રવધૂ સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.