નવાગામમાં પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપધાત : જુવો Video

0
6805

નવાગામ ઘેડમાં પુત્રીના લગ્ન પહેલા પિતાનો આપધાતથી ભારે અરેરાટી

  • આવતીકાલે પુત્રીની જાન આવવાની હતી : મધુરમ સોસાયટીનો બનાવ
  • ઘરની બાજુમાં બની રહેલ મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો : લગ્નનો માંડવો માતમમાં ફેરવાયો:

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ ફેબ્રુઆરી ૨૩ જામનગર શહેરના નવાગામ ઘેડ પાછળ આવેલ મધુરમ સોસાયટીમાં નરોતમભાઈ રાઠોડ નામના આધેડે વહેલી સવારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ હતી પુત્રીના લગ્ન હોય પરીવારમાં ખુશીનો માહોલ હતો તેવામાં પિતાના આપધાતથી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું અને લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

જામનગર નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતા નરોતમ છગનભાઇ રાઠોડ નામના આધેડનો પોતાના ઘરની બાજુ બની રહેલ મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ભાર ચકચાર જાગી હતી ઘરમાં લગ્નપ્રસંગે ખુશીના ગીતો ગવાતા હતા અને આવતીકાલે પરણવા જાન આવવાની હતી તેવામાં પિતાના આપઘાતથી ભારે ચકચાર જાણી હતી બનાવના પગલે આજુબાજુના પાડોશી દોડી આવ્યા હતા પિતાની લટકતો મૃતદેહ જોઈ પરિવાર પર આભ ફાટી પડયું હતું બનાવની જાણ થતા સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએેમ માટે જી.જી  હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી હાલ તો આ બનાવે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.