જામનગરમાં મહેશ્વરી યુવાન પર હુમલા પ્રકરણમાં 4 સામે ફોજદારી

0
3965

જામનગરના મોટા મહેશ્ર્વરીવાસના યુવાન ઉપર હિચકારો હુમલો

  • ધોકા વડે માર મારનાર ચાર શખ્સ સામે એસ્ટ્રોસિટી એકટની ફરિયાદ
  • આરોપી : (૧) અસગર ઉર્ફે અસુડો મોહમ્મદ હુસેન મકવાણા (૨) આફતાબ ઉર્ફે અકુડો મહંમદ હુસૈન મકવાણા (૩) ફિરોજ ઉર્ફે ફીરિયો મામદ હુસેન મકવાણા (૪) કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૧ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં ત્રણ દરવાજા નજીક મહેશ્વરી ચોકમાં રહેતા ખેરાજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે અસગર ઉર્ફે અસુડો મોહમ્મદ હુસેન મકવાણા, આફતાબ ઉર્ફે અકુડો મહંમદ હુસૈન મકવાણા, ફિરોજ ઉર્ફે ફીરિયો મામદ હુસેન મકવાણા અને કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલા અંગેની કલમ તેમજ એસ્ટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.