જામનગરમાં લેણું વધી જતા કડિયા યુવાને જિંદગી ટુંકાવી

0
3050

જામનગર: લેણું વધી જતા કડિયા યુવાને જિંદગી ટુંકાવી.

  • ઘણા લેણદાર પરિવારને સાત્વના દેવા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા 
  • બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૩ જાન્યુઆરી ૨૩ : જામનગરના મોહનનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે દેણું વધી જતાં જિંદગીનો અંત લાવવા માટે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લઈ જીવ દીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડિંગ નંબર -, બ્લોક નંબર 10 માં રહેતા બે સંતાનોના પિતા અને કડિયા કામની મજૂરી કરતા જતીન જીતેન્દ્રભાઈ સોલંકી (ઉમર વર્ષ 34) એ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક ના પિતા જીતેન્દ્ર જેઠાલાલ સોલંકી એ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.પોલીસ ની પૂછપરચ દરમિયાન મૃતક યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ અનુભવતો હતો, અને તેના ઉપર દેણું વધી જતાં આ પગલું ભરી લીધું છે. જેના બે સંતાનો નોંધારા બન્યા છે.