૫તિના “લફરા “એ પત્નિનો જીવ લીધો : પાંચ દિવસના લગ્નજીવનનો કરુણ અંજામ

0
2832

જામજોધપુરમાં પતિના પરાઇ સ્ત્રી સાથેના “લફરા” એ પરણિતાને મરી જવા મજબૂર કરી

  • લાલબતી સમાન કિસ્સો: ફક્ત પાચ દિવસ ચાલેલ લગ્નજીવનનો કરુણ અંજામ
  • સિક્કામાં રહેતા માસીએ નોંધાવી ભાણેજ જમાઇ વિરૂદ્ધ મરી જવા મજબૂર કર્યાંની ફરિયાદ
  • આરોપી :-ચેતનભાઇ સ/ઓ ધીરજલાલ હીરજીભાઇ ચીત્રોડા રહે.એક્સીસ બેંક રોડ પુનમ હોટલ વાળી શેરી જામજોધપુર જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જાન્યુઆરી ૨૩ જામનગર નજીકના સિક્કા હાઉસીંગ બોર્ડ શેરી નં-૧માં રહેતા ચંપાબેન મેઘજીભાઇ ધેડીયા નામની કુંભાર મહિલાએ જામજોધપુરના ચેતનભાઇ હીરજીભાઈ ચિત્રોડા સામે ફરીયાદ નોંધાવી છે કે પોતાની બહેનના દિકરીને અન્ય સ્ત્રીના ચક્કરમાં મરવા માટે મજબુર કરી મોતમાં મોમાં ધકેલી છે. દેનાર ભાણેજ જમાઇ સામે ફીટકાર વરસી રહ્યો છે.

પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ સિક્કા હાઉસીંગ બોર્ડ શેરી નં-૧માં રહેતા ચંપાબેન મેઘજીભાઇ ધેડીયાની ભાણેજ જ્યોત્સનાબેન ઉર્ફે જોશનાબેન ચેતનભાઇ ચીત્રોડાના લગ્ન તા. ૦૪/૧૨/૨૦૨૨ ના રોજ જામ જોધપુરના ચેતન ચીત્રોડા સાથે થયા હતા ચેતન ચિત્રોડાને અગાઉથી જ કોઈ પટેલ સ્ત્રી સાથે લફરુ હોય અને પટેલ સ્ત્રીને સાથે રાખવા માગતો હોય જેને લઇ તે અવાર-નવાર જ્યોત્સનાબેનને માનસિક ત્રાસ આપનો હોય, જેના માનસીક ત્રાસ ના કારણે ફરીયાદી ચંપાબેન ધેડીયાના બહેનના દીકરી જ્યોત્સનાબેનને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી હતી.

આથી જામ જોધપુર પોલીસે મરણજનાર જ્યોત્સનાબેનના માસીની ફરિયાદ પરથી ચેતનભાઇ ધીરજલાલ ચીત્રોડા સામે ગુન્હો ઇ.પી.કો. કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ PSI એમ.જી વસાવા ચલાવી રહ્યા છે.