જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે 306 દાખલ

0
3130

જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે ફરિયાદ

  • આરોપી :- (૧) સંદીપ દીલીપભાઇ મેઠીયા (ર) દીલીપભાઇ મેઠીયા (૩) જશોદાબેન રહે.તમામ સત્યમ કોલોની, ઓશવાળ ૪ શેરી નંબર -૩ જમનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ ઓક્ટોબર ૨૨ જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરા સામે ફરીયાદ નોંધાતા સિંધી સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના ગાંધીધામ આદીપુર સીબીએકસ-340 ખાતે રહેતી જાનકીબેન કનૈયાલાલ કેશવાણી (ઉ.વ.45) નામની મહિલાની પુત્રી સુનિતાબેનને આરોપીઓએ અવાર નવાર દહેજની માંગણી કરીને દુ:ખત્રાસ આપી હેરાન, પરેશાન કરતા હોય તેમજ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી અસહ્ય દુ:ખત્રાસ દઇ મરી જવા મજબુર કરતા ફરીયાદીની પુત્રીએ પોતાને ઘરે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકવી લીધી હતી.જાનકીબેન દ્વારા ઉપરોકત બનાવ અંગે ગત રાત્રીના સીટી-સીમાં જામનગરની સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નંબર- 3 ખાતે રહેતા સંદીપ દિલીપ મેઠીયા, દિલીપભાઇ મેઠીયા અને જશોદાબેન ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ 306, 498 (એ), 114 તથા દહેજ પ્રતિબંધ ધારા કલમ(4) મુજબ ફરીયાદ કરી હતી.જેની તપાસ પીએસઆઇ ગામેતીએ હાથ ધરી છે.