જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 PI તેમજ 18 PSI ની બદલી કરાઈ : નિખીલકુમાર ડાભી જામનગર મુકાયા

0
4043

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ પીઆઇ તેમજ ૧૮ પીએસઆઇ ની બદલી કરાઈ

  • સુરતથી PI નિખીલકુમાર.બી ડાભી , મોરબી ના વી.એમ લગારીયા તથા એચ .વી રાઠોડ જામનગર મુકાયા
  • અગાઉ જામનગર માં ઉત્કર્ષ કામગીરી કરનાર PSI ચેન્દ્રેશ કાટેલીયા જામનગર મુકાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર અને દેવભૂમિ દ્વારકા માં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ૧૮ પીએસઆઇ ની રાજ્ય સરકાર દ્વારા ફેર બદલીઓ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી લક્ષી કાર્યવાહીના અનુસંધાને બે વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની ફેરબદલીઓનો દોર હાથ ધર્યો છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે બદલીનો ગંજીપો ચીપ્યો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.આઈ. એ. વાય. બ્લોચ અને એચ.જી. દેસાઈ ની સીઆઇડી ક્રાઈમમાં બદલી કરાઇ છે. જયારે જામનગરના પી.આઇ. પી એલ વાઘેલાની મહેસાણા બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત દેવભૂમિ દવારકાના પીએસઆઈ એચ.વી. ગલચરની રાજકોટ ગ્રામ્યમાં જયારે એમ કે ગઢવીની ભરૂચ બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના પી.એસ.આઇ એમ.એન. જાડેજાની સી.આઈ.ડી. ક્રાઈમ માં, એસ.વી. સમાણીની મોરબી, જયારે ડી.બી. લાખણોત્રાની પશ્ચિમ કચ્છમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત જયદીપસિંહ.ડી. પરમાર ની જીઈબી બરોડા, કે. આર. રાવલ ની અમદાવાદ શહેર, એચ.વી. પટેલની રાજકોટ શહેર માં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત પી.એસ.આઇ.વી.કે ગઢવીની સુરત, એમ.બી. વસાવા ની અમદાવાદ શહેર, ડીએસ વાઢેર ની અમદાવાદ શહેર, બી.એસ. વાળાની વડોદરા શહેર, કે. આર. સિસોદિયાની અને કે.વી. ઝાલાની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત આર.એલ. ઓડેદરા અને વી.કે. રાતિયા ની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત પીએસઆઇ જે.જી.ઝીંઝુવાડિયાની અમદાવાદ શહેરમાં બદલી કરાઇ છે.