ધાંગધ્રાના ”ડબલ મર્ડર’ કેસમાં જામનગર સહિત ૨૬ દરબારો નિર્દોષ

0
12477

ધાંગધ્રા નજીક ભરવાડ શખ્સોના ડબલ મર્ડર કેસમાં ૨૬ આરોપીઓ નિર્દોષ

  • હળવદ પંથકના ચકચારી ડબલ મર્ડરના કેસમાં મોરબી સેસન્સ કોર્ટનો ચુકાદો
  • મહત્વના સાક્ષીઓ હોસ્ટાઇલ થયા : નજરે જોનાર સાહેદો નથી 
  • ધ્રાંગધાના ઈન્દ્રસિંહ ઝાલા નામના વ્યકિતની હત્યા થયા બાદ તેના બેસણામાં જતા સમયે તંગદીલી સર્જાઇ હતી
  • જૂથ અથડામણમાં રાણાભાઈ અને ખેતાભાઈ ભરવાડની હત્યા થઈ હતી 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ સપ્ટેમ્બર ૨૩ ધ્રાંગધ્રાના અતિ ચકચારી દરબાર જ્ઞાની અને ભરવાડ જ્ઞાતીના ચકચારી ખુન કા બદલા ફુનની ઘટનામાં ભરવાડ રાણા ભલુ ને ભરવાડ ખેતા ભરવાડની હત્યા કેસમાં પકડાયેલા ૨૬ દરબાર આરોપીઓનો કેસ ચાલી જતા મોરબીના મુખ્ય ન્યાયમૂર્તિ પી.સી. બેશીએ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અગાઉ પોપટ ભરવાડની હત્યા થયેલ જેમાં ઈન્દ્રજીતસિંહ પકડાયેલ ત્યાર બાદ ઈન્દ્રજીતસિંહ જામીન ઉપર છુટતા ભરવાડોએ એક સંપ કરીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ કેસની વિગતમાં ઈન્દ્રજીતસિંહનું બેસણું યોજાયેલ જેમાં જામનગરથી દરબાર જ્ઞાતીના લોકો ગાડીઓ ભરીને ધ્રાંગધ્રા ગયેલ ત્યાં જ ૧૩-૭-૧૭ના રોજ ગોપાલક ધામ મંદિરે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલ જયાં બન્ને પણ પથ્થરમારો થયેલ જેમાં ભરવાડ રાણાભાઈ અને ભરવાડ ખેતાભાઈની હત્યા થયેલ આ અંગેની કરીયાદ રામભાઇ ભરવાડે પોલીસ ફરીયાદ નોંધાવેલ પોલીસે ૨૬ દરબાર આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓ બનાવ વખતે હાજર હતા કે કેમ તેવો પણ કોઈ પુરાવો મળી આવતો નથી. તેમજ બનાવમા મરણ પામેલ ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડનું મૃત્યુ હાર્ટએટેકના કારણે થયેલાનું પીએમ રીપોર્ટમાં આવેલ અને મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થયેલ છે. જે સાક્ષીઓએ જુબાની આપેલ તેઓએ જણાવેલ છે કે બનાવ બન્યા બાદ તેઓ સ્થળ પર આવેલ તેઓએ આવો કોઈ બનાવ નજરે જોયેલ નથી તેમજ આરોપીને સાંકળતો કોઈપણ જાતનો પુરાવો મળી આવતો નથી તેમજ ફરીયાદ પણ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેથી આરાપીને નિર્દોષ છોડી મુકવા જેઈએનામદાર અદાલત દ્વારા ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવા તેમજ આરોપી તરની દલીલો તથા આરોપી તરફે રજ ડોડીયા, જીતુભા જાડેજા થયેલ સુપ્રિમ કોર્ટ નથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ તમામ ૨૬ દરબાર આરોપીઓ (૧) ગોપાલસિંહ જોધસિંહ શેખાવત (૨) મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો લખધીરસિંહ સોઢા (૩) યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર (૪) વિજયસિંહ બટુકસિંહ જાડેજા (૫) મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા (૬) કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા (૭) હરીશચંદ્રસિંહ ઉર્ફે ભીખો કનકસિંહ ઝાલા (૮) મહેન્દ્રસિંહ ઉર્ફે કનૈયો રણજીતસિંહ જેઠવા (૯) મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા (૧૦) દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા (૧૧) અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ વાઢેર (૧૨) ભરતસિંહ ઉર્ફે ભાણુભા ભીખુભા જાડેળ, (૧૩) ઘનશ્યામસિંહ બચુભા જાડેજા (૧૪) હરદીપસિંહ ઉર્ફે હાર્દીકસિંહ ઉર્ફે ટૂંકો સહદેવસિંહ સોઢા (૧૫) ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા (૧૬) ધર્મપાલસિંહ ઉર્ફે કુંડી દેવેન્દ્રસિંહ જોડે જા (૧૭) જયદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (૧૮) ગજેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ અજીતસિંહ જાડેજા (૧૯) પૃથ્વીસિંહ દીલીપસિંહ જાડેજા (૨૦) હરદેવસિંહ સુરૂભા પરમાર (૨૧) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા (૨૨) વિજયસિંહ લાલુભા વાળા (૨૩) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (૨૪) ઋષીરાજસિંહ દીલીપસિંહ જાડેજા (૨૫) જયરાજસિંહ વનરાજસિંહ ઉર્ફે જગુભા જાડેજા (૨૬) મહાવીરસિંહ દીલાવરસિંહ ઉર્ફ દીલીપસિંહ રાયજાદા, જામનગર વાળાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મોરબીના જીતુભા જાડેજા સહિતના રોકાયા હતા