0

જામનગર માં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગરમાં ડી.પી. કપાત માટે ૩૩૦ મિલકતધારકને મહાનગર પાલિકા દ્વારા નોટીસ

દેશ દેવી ન્યૂઝ જામગનર તા.ર૦ ફેબ્રુઆરી ૨૫, જામનગર માં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી નો ૧ર મીટર પહોળાઈ નો રોડ બનાવવા માટે ડી.પી. કપાતમાં આવતી આશરે સવા ત્રણસો થી વધુ મિલકત ધારકો ને મહાનગર પાલિકા દ્વારા વધુ એક વખત નોટીસ પાઠવાઈ છે.

જામનગરમાં સ્વામિ નારાયણનગર-ગાંધીનગર વચ્ચે ૩૦ મીટરની પહોળાઈ નો રોડ બનાવવા આયોજન થયું હતું. આ પછી આ રોડ ની પહોળાઈ ટૂંકાવી ૧ર મીટર નો રોડ બનાવવા નિર્ણય પણ લેવાયો હતો. જેની અમલવારી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતર માં ૩૩૦ જેટલા મિલકતધારકો ને નોટીસ પાઠવાઈ હતી. અગાઉ પણ કપાત માં આવતી તમામ મિલકત ને નોટીસ અપાઈ હતી.હાલ તમામ મિલકતધારકોને નોટીસની બજવણી કરવામાં આવી છે, અને ઉચ્ચ કક્ષા એ થી મંજુરી મળતાં મિલકતો ની પાડતોડ શરૂ કરવામાં આવશે. આ માર્ગ માં કપાત માં જતી આશરે ૩૩૦ મિલકતો માં અમુક સૂચિત માં સમાવિષ્ટ થાય છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version