જામનગરમાં વુલન મિલની ચાલી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પહેલીવાર કરવામાં આવી કરહા પૂજા
-
ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫ જામનગર શહેરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, અને પરંપરાગત રીતે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉકળતા દૂધથી સ્નાન કરી અગ્નિકુડમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ઉત્તર ભારતિય હિન્દી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોગેશ યાદવ, એડવોકેટ સુરજ યાદવ, અને ઇન્દ્રજીત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરહા પૂજા મુરૂભાઈ જેશાભાઈ કારાવદરાની વાડી, શંકર ભગવાનના મંદિરની પાસે આવેલા દિજામ વુલન મીલ પાછળ યોજવામાં આવી હતી. આ પૂજા ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને જામનગરમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન કરનાર યોગેશ યાદવ એડવોકેટે જણાવ્યું હતું કે, આ પૂજા દ્વારા સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.