Home Gujarat Jamnagar જામનગરમાં વ્હોરા અગ્રણીના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ ગણતરીની...

જામનગરમાં વ્હોરા અગ્રણીના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

0

જામનગરમાં વ્હોરા અગ્રણી ના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ સિટી એ.ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો

  • વ્હોરા પરિવારના બંગલા માં ઘુસેલા બન્ને લૂંટારુઓએ ૨૦ મિનિટ સુધી આતંક મચાવ્યો

  • સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર પોરબંદર સુધી લંબાવી બન્ને લૂંટારુઓ ને તમામ માલમતા સાથે દબોચી 

દેશ દેવી ન્યૂઝ તા. ૧ જાન્યુંઆરી ૨૫ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ મહિલા અને પુત્રવધુ ને બંધક બનાવીને ઘરમાંથી એક લાખની રોકડ. રકમ તથા રૂપિયા ૧૩ લાખ ની કિંમતના સોનાના ઘરેણા વગેરે માલમતા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ બાદ તુરંત જ હરકતમાં આવેલી જામનગર ની સિટી એ. ડિવિઝન પોલીસે ચો તરફ તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકોમાં જ લૂંટના આ બનાવ નો ભેદ ઉકેલી નાખી ને પોરબંદર પંથક માંથી બે લૂંટારૂઓ ને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસે થી લુંટ કરેલો મુદ્દામાલ કબજે કર્યો છે.જામનગર શહેર માં બનતા લુટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલા ની સુચના મુજબ પોલીસ સ્ટાફ સક્રિય હતો. જામનગર નાં સીટી એ ડીવી. પોલીસ મથક વિસ્તાર મા લુંટ નો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામેના ફરીયાદી ફરીદાબેન મુસ્તફાભાઇ અતરીયા ( દાઉદી વોરા ઉ.વ-૫૮ રહે-તાર મામદ સોસાયટી, પ્લોટ નંબર ૨૬, કાલાવડ નાકા બહાર, જામનગર ) ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે બે અજાણ્યા આરોપીઓ એ આવી આયુર્વેદિક દવા આપવાનું કહી ફરીયાદી મહિલા ને પગ થી લાતમારી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો મારમારી મોઢામાં કપડુ ભરાવી દઇ બન્ને હાથપગ દોરી વડે બાંધી દીધા હતા.ત્યાર બાદ બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ૧૨ ગ્રામ તથા તીજોરીમાંથી સોનાનુ બિસ્કીટ ૧૦ તોલાનુ તથા સોનાની બુટી ૬ ગ્રામ તથા સોનાની બે ગીની ૩ ગ્રામ ની તથા સોના ની બંગડી નંગ-૪ અને ચાંદી ની વીંટી મળી આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ-૧૩,૦૭,૫૦૦ તથા રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૦૭,૫૦૦ ની માલમત્તા ની લુટ ચલાવી હતી.જે ગુન્હો શોધી કાઢવા અંગે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ ચાવડા ના માર્ગદશન મુજબ કુલ-૧૨ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ૩ ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળ ના , કમાન્ડ કંટ્રોલ ના સી.સી.ટી.વી. ફુટેઝ મેંળવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સોર્સ નાં આધારે પોલીસ સ્ટાફ ને આરોપીઓ અંગે માહિતી સાંપડી હતી. અને લુટમાં મોટર સાયકલ નો ઉપયોગ થયેલ હોય અને તે મોટર સાયકલ સાથે બે ઇસમો પોરબંદર તરફ ગયા હોવા ની વિગતો મળી હતી.

જેથી અલગ અલગ ૩ ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતાં મોટર સાયકલ સાથે બે આરોપીઓ હિતેષભાઇ પ્રેમજીભાઈ હોડાર, ( જાતે-ખારવા, ઉ.વ.૨૮, રહે .બોખીર વિસ્તાર કે કે.આવાસ બીલ્ડીંગ નં.૨૮ બ્લોક નં.૭ પોરબંદર અને ધાર્મીક હરીશભાઇ વરવાડીયા, (જાતે ખારવા, ઉ.વ.૨૧, રહે. બારવાવાડ ભાટીયા બજાર કેશવ સ્કૂલની સામે પોરબંદર )ને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા.

બન્ને આરોપીઓ ની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી બન્ને ઇસમો પાસે થી લુટમાં ગયેલ આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ.૧૭,૫૯,૩૭૨ , તથા રોકડા રૂ.૭૦,૦૦૦ , તથા મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦ ,તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ .રૂ ૧૮.૮૯,૩૭૨ નોં કબજે કરવામાં આવ્યો છે. આમ જામનગર પોલીસે ગણતરી ની જ કલાકો માં જ લૂંટના ગુના નો ભેદ ઉકેલી નાખી બે આરોપી ઓ ને પકડી પડ્યા છે. બંને આરોપી ઓ ને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.

આ કામગીરી પો.ઇન્સ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ. કરણસિહ પી. જાડેજા, પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એમ. જાડેજા, પો.કોન્સ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, વિપુલભાઇ જે. સોનગરા તથા સંદિપભાઇ દ્વારા કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version