Home Gujarat Jamnagar જામનગરના ધ્રોલમાં ખેડુતના ડાયરેક્ટ ‘લંગરીયા’ માં ચાર શ્રમિકો દાઝ્યા

જામનગરના ધ્રોલમાં ખેડુતના ડાયરેક્ટ ‘લંગરીયા’ માં ચાર શ્રમિકો દાઝ્યા

0

ધ્રોલ તાલુકાના લૈયારા નજીક વીજ પોલ પર સમારકામ કરી રહેલા ચાર શ્રમિકો ગંભીર સ્વરૂપે દાઝી જતાં સારવારમાં ખસેડાયા

  • જ્યોતીરગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ પાવર ચોરી કરવા માટે લંગરીયા વિજજોડાણ નાખતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો

  • અધિકારીઓની ટુકડીઓ દોડતી થઈ ત્રણેય ખેડૂતો સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું.

જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પર પ્રાંતિય શ્રમીકોને વીજ આંચકો લાગ્યો હતો, અને ચારેય શ્રમિક દાઝી ગયા પછી નીચે પટકાયા હતા, અને તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે.

જે ચારેય શ્રમિકો પૈકી બે શ્રમિકોની હાલત વધુ ગંભીર ગણાવાઇ રહી છે. તેઓને ઇલેવન કેવીની લાઈન માંથી વીજ આંચકો લાગ્યો હતો, તેમજ નીચે પટકાઈ પડવાથી ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ બનાવની જાણ થતાં વિજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દોડતી થઈ હતી, અને તપાસ કરતાં જ્યોતિર ગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ લંગરીયા નાખીને પાવર ચોરી કરી હોવાથી જ્યારે શ્રમિકોને પાવર ચોરી થવાના કારણે વીજ પ્રવાહ રિટર્ન થતાં વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા.

વિજ તંત્રની ટીમ દ્વારા આ બાબતેનું સર્વે કર્યા પછી ત્રણેય ખેડૂતોના લંગરીયા વીજ જોડાણ કાપીને કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણેય ખેડૂતો સામે વીજ ચોરી કરવા અંગે અને બેદરકારી દાખવી શ્રમિકોને ઇજાગ્રસ્ત બનાવવા અંગે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ બનાવને લઈને વીજ તંત્રમાં ભારે દોડધામ થઈ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version