જામનગર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ પ્રદર્શન

0
2155

જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ પ્રદર્શન કરાયું

  • ભાજપ કાર્યાલયથી રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય સુધી સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના હિંદુવિરોધી નિવેદનનો વિરોધ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ જુલાઈ ૨૪, સંસદ ભવનમાં ગઈકાલે કોંગ્રેસના નેતા તેમજ સંસદ ગૃહના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી પ્રવચન આપતાં તેના ઘેરા પ્રત્યા ઘાતો પડ્યા હતા, અને જામનગર શહેર ભાજપ દ્વારા આ મામલે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયથી એક રેલી કાઢવામાં આવી હતી, પંચેશ્વર ટાવર થઈ ટાઉનહોલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજાઇ હતી, અને રાહુલ ગાંધીના વિરોધમાં સુત્રોચાર કરી વિરોધ કરવામાં કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષ જોષી, આ ઉપરાંત શહેર ભાજપના શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચા- સંગઠનના હોદ્દેદારો- કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા, અને રાહુલ ગાંધી ના હિંદુ વિરોધી નિવેદનને લઈને વિરોધ પ્રકટ કરાયો હતો.