જામનગરમાં સાયચા બંધુ અને તેના વેવાઈ એ મકાન અને સ્કૂટર પચાવી લીધું : 4 સામે FIR

0
7683

જામનગર માં લાખો રૂપિયા વ્યાજે લેનાર નાં મકાન અને બાઇક નો બળજબરી થી કબ્જો : બે આરોપી ની ધરપકડ , બે આરોપીનો જેલ માંથી કબ્જો લેવાશે

  • આરોપ : – (૧) હાજી જુસબભાઈ સુભાણીયા (ર) હનીફ જુસબભાઇ સુભાણીયા (૩) એજાજ ઉંમરભાઈ સાયચા (૪) મહેબૂબ જુસાબભાઈ સાયચા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ એપ્રિલ ૨૪ જામનગર મા મગફળી ને એક ધંધાર્થી એ ધંધા માં ખોટ જતા ચારેક લોકો પાસે થી લાખો ની રકમ ઊંચા વ્યાજદર થી મેળવી હતી જેની વ્યાજ સહિત ચુકવણી કરી આપવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ રકમની માંગણી કરી તેનું મકાન અને સ્કૂટર પચાવી પાડતા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને બે આરોપી ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ઓ પહેલે થી જ અન્ય ગુના માં જેલ માં છે.

જામનગર નાં બેડેશ્વર ગરીબ નગર વિસ્તારમાં રહેતા ઇમરાન કાસમભાઇ અમીરાણી મગફળી નો વ્યવસાય કરે છે.જેમને ધંધા માં ખોટ જતા અને પૈસા ની જરૂરિયાત ઊભી થતાં અલગ અલગ ચાર શખ્સો પાસે થી તગડી રકમ વ્યાજે લીધી હતી.જેમાં એજાજ યમરભાઈ સાયચા પાસે થી ૩૫ અને પછી ૧૪ લાખ મળી કુલ રૂ.૪૯ લાખ ની રકમ વ્યાજે લીધી હતી. ત્યાર પછી મહેબૂબ જુસબભાઈ સાયચા પાસે થી કુલ રૂ.૨૯ લાખ, અને આજે જ્યુસબ સુભાણિયા તથા પાસેથી ૩૫ લાખ ની રકમ વ્યાજે લીધી હતી. જેનું છ થી ૧૫ ટકા જેટલું વ્યાજ પણ ચૂકવ્યું હતું.

આમ છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરી તેને આપવામાં આવી હતી. અને ફરિયાદી ઈમરાનભાઈ ના મકાન નો તેમજ સ્કૂટર નો કબજો બળજબરી થી મેળવી લીધો હતો. વ્યાજખોર નાં ત્રાસ થી કંટાળી જઈ હમીરભાઇ છેલ્લા છ માસ થી કાલાવડ રહેવા ચાલ્યા ગયા હતા. અને ગામ છોડી દીધું હતું.

આખરે આ બનાવવા અંગે ઇમરાન કાસમભાઇ હમીરાણી એ ક વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી હાજી જુસબભાઈ સુભાણીયા અને હનીફ જુસબભાઇ સુભાણીયા ની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યા છે.જ્યારે અન્ય બે આરોપીઓ એજાજ ઉંમરભાઈ સાયચા અને મહેબૂબ જુસાબભાઈ સાયચા અન્ય કોઈ ગુનામાં હાલ જેલમાં છે. આથી પોલીસ દ્વારા તેનો ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવવા તજવીજ ચાલી રહી છે.