જામનગર પેટ્રોલપંપ સંચાલકના મકાનમાં 11 લાખની ચોરી : તસ્કર CCTVમાં કેંદ

0
6876

જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપ ના સંચાલકના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • મકાન માલિક પરિવાર સાથે ગોવા ફરવા ગયા, દરમ્યાન તસ્કરોએ મકાનમાંથી ૧૧ લાખની રોકડ રકમ ઉઠાવી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ સપ્ટેમ્બર ૨૪, જામનગર માં આરાધના સોસાયટીમાં રહેતા એક પેટ્રોલ પંપના સંચાલક, કે જેઓ પરિવાર સાથે ગોવા ફરવા માટે ગયા હતા, દરમિયાન તેમના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી ૧૧ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા અને શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા (ઉંમર વર્ષ ૬૪) કે,જેઓ જામનગરના આરાધના સોસાયટીમાં રહે છે, અને પેટ્રોલ પંપ નો વ્યવસાય કરે છે.

જેઓ ગત ઓગસ્ટ ની ૨૬મી તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત ગોવા ફરવા માટે ગયા હતા.ત્યાંથી ૩૧ ની તારીખે પરત આવતા પોતાનું ઘર ખોલ્યા પછી કેટલીક સ્પ્રે ની બોટલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી, તેથી પોતાના કબાટ ચેક કરતાં તેમાં રાખેલી જુદા જુદા દરની ૧૧ લાખની

ચલણી નોટો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર મામલો સિટી ડી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને પીએસઆઇ કે એન જાડેજા ની રૂબરૂમાં અજાણ્યા તસકરો સામે ફરિયાદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.