કાલાવડમાં સગીરા પર દુષ્કૃત્ય કરનારાને 10 વર્ષની કેદ : 4 લાખનો દેડ

0
627

રૂપિયા વાપરવા આપું તેમ કહી બોલાવી નરાધમે અધમ કૃત્ય આચર્યું હતુ.કાલાવડમાં સગીરા પર દુષ્કૃત્ય કરનારાને 10 વર્ષની કેદ ફટકારાઈ ભોગ બનનારને કમ્પનસેશન તરીકે રૂ .4 લાખ આપવા કોર્ટનો હુકમ

દેશ દેવી ન્યુઝ 11.કાલાવડમાં સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે . રૂપિયા વાપરવા આપું તેમ કહી ઘેર બોલાવી નરાધમે અધમ કૃત્ય આચર્યું હતું . આ ઘટનાએ સમગ્ર પંથકમાં જે તે સમયે ઘેરી ચકચાર જગાવી દીધી હતી.

ભોગ બનનારને કમ્પનસેશન તરીકે રૂ .4 લાખ આપવા કોર્ટે હુકમ કર્યો છે . જિલ્લાભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે , કાલાવડમાં ગત જામનગર તા.3-2-2019 ના ગામમાં રહેતા વિનોદ ઉર્ફે મામા કડવાભાઈ પરમાર નામના શખસે ગામમાં રહેતા પરિવારની 7 વર્ષ 6 મહીનાની સગીરા કે જેના પરિવારના સભ્ય શાકભાજી લેવા ગયા હતાં ત્યારે વિનોદે સગીરાને બીડી લેવા માટે જવું છે અને તને રૂપિયા વાપરવા આપું તેમ કહી પોતાના ઘેર બોલાવી હતી.

ત્યારબાદ વિનોદે સગીરાને રૂમમાં અંદ૨ લઇ જઇ દ ૨ વાજો બંધ કરી સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું . બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે ફરિયાદનોંધાવતા પોલીસે વિનોદ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું . આ કેસ જામનગરની ખાસ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો , પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ કે.આર.રબારીએ આરોપી વિનોદને તકસીરવાન ઠેરવી પોકસોના ગુનામાં 10 વર્ષની સજા અને કુલ 5000 દંડ ફટકાર્યો છે . આટલું જ નહીં ભોગ બનનાર સગીરાને કમ્પેનશેસન તરીકે રૂ .4 લાખનો હુકમ કર્યો છે .