Home Gujarat Jamnagar હવાઈ ચોકના ભાનુશાળી વાડમાં વકીલ પર બે શખ્સનો ધોકા પાઇપ વડે હુમલો. 

હવાઈ ચોકના ભાનુશાળી વાડમાં વકીલ પર બે શખ્સનો ધોકા પાઇપ વડે હુમલો. 

0

હવાઈચોકના ભાનુશાળી વાડમાં વકીલ પર બે શખ્સનો ધોકા પાઇપ વડે હુમલો. 

ભાનુશાળી વાડમાં વકીલ પર થઈ ધોકાવારી.

જામનગરના હવાઈ ચોક ભાનુશાળી વાડ શેરી નંબર-૧ મા રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા પંકજ અરવિંદભાઈ લહેરું એ ગઈકાલ સીટી એ ડિવિઝનમાં અજય ઉર્ફે લાલો ભરત કનખરા અને ગોપાલ ભરત કનખરા રહે બંને ભાનુશાળી વાડની સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર ના હવાઈ ચોક માં આવેલ ભાનુશાળી વાડ શેરી નંબર એકમાં માતૃ કૃપા નામના મકાનમાં વસવાટ કરતા  અને એડવોકેટ તરીકે વ્યવસાય કરતા પંકજ ભાઈ અરવિંદભાઈ લહેરુ શનિવારે રાત્રે દસ વાગ્યે પોતાના ઘરના દરવાજે સાળા તથા પિતા સાથે ઉભા રહી વાતો કરતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા અજય ભરતભાઈ કનખરા ઉર્ફે લાલો ગોપાલ ભરતભાઈ કનખરા નામના બે શખ્સે ઘોકા તથા પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો.

આ વેળાએ અરવિંદભાઈ તથા પંકજભાઈ ના સાળાએ વરચે પડી તેઓને બચાવ્યા હતા બાદમાં હુમલાખોરો કેમ છે મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

બંને હુમલાખોર સામે દોઢ વર્ષ પહેલા અન્ય એક યુવાન પર હુમલો કરી લૂંટ ચલાવવાનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીને બાર એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું તેનો ખાર રાખી એડવોકેટ પંકજ નેહરુ ઉપર હુમલો થયો હતો તેમ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સીટી એ ડીવીઝનએ પંકજભાઈ ની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version