શિક્ષણ મંત્રી ની મહત્વની જાહેરાત 18 ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યો શરૂ.

0
453
  • શિક્ષણ મંત્રી ની મહત્વની જાહેરાત 18 ફેબ્રુઆરીથી ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યો શરૂ.

    વાલીગણ આનંદ

    કોરોના વાયરસના કારણે 25 માર્ચ 2020 થી થયેલા લોકડાઉન માં તમામ શૈક્ષણિક કાર્ય બંધ થયું હતું જે બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે આજે રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવતા વાલીગણ માં આનંદની લાગણી છવાઇ છે.

    જામનગર સહિત રાજ્યભરમાં ગત તારીખ 11 જાન્યુઆરી ના રોજ ધોરણ ૧૦ થી ૧૨ અને તારીખ 1. ફેબ્રુઆરી ના રોજ  ૯થી ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

    આજે ધોરણ છ થી આઠ ના વર્ગો આગામી 18 ફેબ્રુઆરીથી ચાલુ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે.

    જેથી જામનગરમાં આવેલી ખાનગી તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણે ધોરણના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.