લાલપુર પંથકમાં અજાણ્યા શખ્સની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખતા ચકચાર.

0
111

લાલપુર પંથકમાં અજાણ્યા શખ્સની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી નાખતા ચકચાર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

તા.18
લાલપુર પંથકના પીપળી ગામે રેલ્વે સ્ટેશન વાળી સીમ બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા ઈસમોએ અજાણ્યા પુરૂષ ઉ.વ.પ0 થી 60 વર્ષ વાળાને માથાના ભાગે કોઈ વસ્તુ/પદાર્થ/હથીયાર વડે માર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યાની બનાવથી પંથકમાં ચકચાર મચીજવા પામી છે.

આ ઉપરાંત લાશ ઓળખાય નહીં તેમજ મરણજનારના મૃત્યુનુ કારણ જાણી શકાય નહી તે હેતુથી મરણજનારની લાશને સળગાવી નાંખી પુરાવાનો નાશ કરવાની પણ કોશીષ કરવામાં આવીછે.

આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ટીનુભા બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે જેના પરથી પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.