Home India મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન: કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા...

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન: કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશે

0

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન: કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશે

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશેવડાપ્રધાને વધુમાં કહ્યું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ગામોમાં ફેલાયેલા કોરોનાને રોકવો મુશ્કેલ છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 17.નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનપર બુધવારે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જનતાને પેનિક મોડમાં નથી લાવવા પરંતુ કોરોનાની વેવને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે, દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. વડાપ્રધાને કહ્યું કે જો કોરોનાના આ વેવને અહીં રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ગામોમાં ફેલાયેલા કોરોનાને રોકવો મુશ્કેલ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જોઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા 10 ટકા સુધી પહોંચ્યા છે. તે બિલકુલ થવું ન જોઈએ. દેશમાં આપણે લોકો સરેરાશ 30 લાખ વેક્સીન ડોઝ આપી રહ્યા છે. એવામાં આ ઝડપથી વધવાનું છે અને વેક્સીનના બગાડને રોકવો પડશે.

મોદીએ આ ઉપરાંત કહ્યું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જોઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. છઝ-ઙઈછ ટેસ્ટની સંખ્યા 70 ટકાથી ઉપર લાવવી જોઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

ઙખની બેઠકમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ચીફ સેક્રેટરી ઉપસ્થિત છે. બીજી તરફ, છત્તીસગઢ તરફથી રાજ્યના સ્વાસ્ય્ખ મંત્રી ટીએસ સિંહ દેવ ઉપસ્થિત છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઈજ્ઞદશમ સ્થિતિ અને રસીકરણ પર પીએમ મોદીની સાથેની બેઠકમાં સામેલ નથી થયા. વડાપ્રધાનની બેઠક દરમિયાન તેઓ આસામ સ્થિત સિલપથાર વિધાનસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા હતા.

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં હિસ્સો નથી લઈ રહ્યા. તેઓ આસામના હિજાઈમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version