મહામારીમાં જામનગર એન.એસ.યુ.આઇ.અને યુવક કોંગ્રેસનો સેવાયજ્ઞ.

0
657

મહામારીમાં જામનગર એન.એસ.યુ.આઇ.અને યુવક કોંગ્રેસનો સેવાયજ્ઞ.

કોરોના દર્દીઓ માટે વિનામૂલ્યે ઓકિસજન સિલિન્ડરના ફલો મીટરનું વિતરણ.

‘હોમ કોરોન્ટાઇન’ દર્દીને પણ આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અત્યાર સુધી 178 વ્યક્તિઓને ઓક્સિજન ફ્લોમિટર પોહચાડાયા.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

હાલ કોરોનાએ જામનગર શહેરમાં પોતાનું બિહામણું અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જામનગરમાં પોતાની સરવાર માટે આવી રહ્યા છે.ત્યારે કોરોનાના દર્દીઓ માટે ઓકિસજન સિલિન્ડર અને તેના ફલો મિટરની ખાસ જરૂરિયાત પડતી હોય છે.

હાલના સમયમાં ઓકિસજનની માંગ ખુબ મોટાં પ્રમાણમાં વધી છે. ત્યારે જામનગર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા કોરોના દર્દીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે જેમાં ઓક્સિજન ફલોમિટર વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

જામનગર શહેરમાં છેલ્લા 6 દિવસ થી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરી એવા ફ્લોમીટર(વાલ્વ)ની જરૂરતમંદ લોકો સુધી વિના મૂલ્યે પહોંચાડવાની સેવા કરવામાં આવી રહી છે અને વ્યવસ્થા લોકો માટે ચાલુ જ છે. જે વ્યક્તિ ઘરે કોરોન્ટાઇન હોઈ તેમને ફ્લોમિટર ની જરૂર હોય તેઓએ (પરત આપવા ની શરતે) નીચે દર્શાવેલ નામ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અત્યાર સુધી 178 વ્યક્તિઓને ઓક્સિજન ફ્લોમિટર પોહચાડવામાં આવ્યા છે.

ડો તોસિફખાન પઠાણ- પ્રમુખ, યુવક કોંગ્રેસ જામનગર : 88660 55555
શક્તિસિંહ જેઠવા- મંત્રી,યુવક કોંગ્રેસ ગુજરાત: 93268 11111
માહિપાલસિંહ જાડેજા-પ્રમુખ,એન.એસ.યુ.આઇ. જામનગર : 95585 49999
રવીરાજસિંહ ગોહિલ- ઉપપ્રમુખ,યુવક કોંગ્રેસ જામનગર: 8140409854