Home Gujarat Jamnagar પાઇપ ફટકારતી લફરાબાજ પત્ની, પટ્ટેથી મારતા સંતાનોથી કંટાળી મિસ્ત્રીએ કર્યો આપઘાત :...

પાઇપ ફટકારતી લફરાબાજ પત્ની, પટ્ટેથી મારતા સંતાનોથી કંટાળી મિસ્ત્રીએ કર્યો આપઘાત : લખી ચાર પાનાની સ્યુસાઇટ નોટ

0

લફરાબાજ પત્નીના આડાસંબંધનો ભોગ બનતો પતિ.

રાજકોટના મિસ્ત્રીએ અસહ્ય ત્રાસથી ટ્રેન હેઠળ ઝંપલાવ્યું: લખી ચાર પાનાની સ્યુસાઇડ નોટ અને કહ્યું બધાને સજા કરજો.

કમિશનરને સંબોધીને સ્યુસાઇટ નોટ લખી પ્રોઢનો આપઘાત.

પત્નીના આડાસંબંધ અને પુત્રોના મારથી કંટાળી ગયો છું મને ન્યાય આપજો.

મંગળવારે સવારે ટ્રેન હેઠળ પડતું મુકી એક પ્રોઢે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી તપાસ દરમિયાન પોલીસને મૃતક પાસેથી ચાર પેઇજ ની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપઘાત કરનાર મવડી વિસ્તારમાં રહેતા અને ફર્નિચર બનાવવાનો કોન્ટ્રાકટ રાખતા જયસુખભાઇ લક્ષ્મણભાઈ વડોદરિયા હોવાનું જાણવા મળ્યું હતું.

સ્યુસાઇટ નોટ પોલીસ કમિશનરને સંબોધીને લખવામાં આવી હતી જેમાં લખ્યું છે કે મારી પત્ની જયશ્રી ને ગોકુલ્પરા ના મેરુ ફાંગલીયા સાથે આડા સંબંધ છે જેથી પત્ની મેરુ સાથે મળી બાપદાદાનું મકાન રૂ.૧.૮૦ લાખમાં પડાવી લીધુ છે એટલું જ નહીં મારા બંને પુત્ર સુમિત અને વિરમ કોઈ કારણ વગર ઢોર માર મારતા હતા.

પત્ની અને પુત્ર બે પુત્રોએ છેલ્લા બે દિવસથી રૂમમાં બંધ કરી પ્લાસ્ટિક ના પાઇપ અને પટ્ટાથી બેફામ માર માર્યો છે જેમાં મારમાં મારા છ જેટલા દાંત પડી ગયા છે અને પોતાને પાંચ દિવસથી ખાવાનું પણ આપ્યું નથી આમ તેના ત્રાસથી કંટાળી ગયો છું એટલે આપઘાત કરવા જઈ રહ્યો છું મારા આપઘાત પાછળ મારી પત્ની જયશ્રી અને બે પુત્ર સુમીત અને વિરમ જવાબદાર છે.

મારો કેસ ઈમાનદાર પોલીસને અધિકારીને સોંપી પત્ની જયશ્રી ને કડક સજા કરાવજો અને બંને પુત્રોને ટુકડા કરી સરઘસ કાઢી સજા અપાવજો મારુ પોસ્ટમોર્ટમ કરાવું છું એટલે ખ્યાલ આવશે કે મને કેટલો માર મારેલ છે.

હવે મેરુ સાથે જિંદગી કાળજે તને મેરુ બહુ ગમતો હતો ને.

જયસુખભાઇએ વેદનાથી લખેલ સ્યુસાઇટ નોટમાં પત્ની જય શ્રી ને સંબોધીને લખ્યું હતું કે તે મારી વાત માની હોત તો હું આજે આ પગલું ન ભરત તું આઝાદ છે હવે મેરુ સાથે જિંદગી કાઢજે એ તારો જાનુ છે. મારો મોબાઇલ મારી ભત્રીજી ને નીલમને આપવો અને મારી બાઈક મારા ભત્રીજા અમી ને આપી દેજો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version