Home Gujarat Jamnagar નવાગામ ઘેડમાં રહેતા વિપ્ર વૃદ્ધને કલ્યાણપુરમાં મારી નાખવાની ધમકી આપતા ત્રણ કૌટુંબિક...

નવાગામ ઘેડમાં રહેતા વિપ્ર વૃદ્ધને કલ્યાણપુરમાં મારી નાખવાની ધમકી આપતા ત્રણ કૌટુંબિક ભાઇઓ…!

0

કલ્યાણપુરમાં વિપ્ર વૃદ્ધને મારી નાખવાની ધમકી આપતા ત્રણ કૌટુંબિક ભાઇઓ…!

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના મુળ વતની અને હાલ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા જીવરાજભાઈ ગોવિંદભાઈ ઠાકર નામના 60 વર્ષના વૃદ્ધે હાબરડી ગામના ગંગારામભાઈ કારૂભાઈ ઠાકર, વિજયભાઈ કારૂભાઈ ઠાકર અને પ્રવિણભાઈ કારૂભાઇ ઠાકર નામના ત્રણ શખ્સો સામે બિભત્સ ગાળો કાઢી, પથ્થરનો ઘા મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જીવરાજભાઈના શેઢા પરના લીમડાના ઝાડને આરોપીઓ દ્વારા કાપી નાખવામાં આવતા જીવરાજભાઈ આરોપીઓને “લીમડાનું ઝાડ શું કામ કાપ્યું?”- તેમ કહેતા ઉશ્કેરાઇને આરોપીઓએ હુમલો કરી, ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version