ધૈર્યરાજસિંહ રાઠોડના ઇન્જેક્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળવ્યા 10 લાખ.’

0
78

ધૈર્યરાજસિંહ રાઠોડના ઇન્જેક્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળવ્યા 10 લાખ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર

મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માત્ર 3 વર્ષના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે.

જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવું પડે તેમ છે. આ બાળકને નવજીવન મળે તે માટે અનેક સ્વૈચ્છિક અને સામાજીક તથા વ્યક્તિગત રીતે લોકો દ્વારા પહેલી અપીલ કરવામા આવી હતી. જેના માટે લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે .

માત્ર લોકો જ નહીં ઉધોગપતિઓ, ધારાસભ્યો પણ ફાળો આપી રહ્યા છે.

ટીપે ટીપે સરોવર ભરાય તેમ ધીમે ધીમે ફાળો એકઠો થઈ રહ્યો છે.

ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પોતાના રાહત ફંડમાંથી આ બાળકને મદદ કરવા માટે પત્રો લખ્યા હતા .

જે સંદર્ભે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ઘૈર્યરાજની મદદ માટે રુપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. માસૂમ ધૈર્યરાજને નવજીવન મળી રહે તે માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન મગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે .

જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે.