જોગવડમાં જૂની અદાવતનો ખાર રાખી બ્રાહ્મણ પરિવાર ઉપર ૬ શખ્સોનો હિચકારો હુમલો.

0
1380

જોગવડમાં જૂની અદાવતનો ખાર રાખી બ્રાહ્મણ પરિવાર ઉપર ૬ શખ્સોનો હિચકારો હુમલો.

6 શખસોએ ઘરમાં ઘુસી આતંક મચાવ્યો : માતા-પીતા અને પુત્રને બેફામ માર માર્યાની પોલીસ ફરિયાદ.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના લાલપુર પંથકના જોગવડ ગામમાં રાજગોર પાળામાં રહેતા પ્રકાશભાઇ સુભાષભાઇ મથ્થરના બ્રાહ્મણ યુવાનની આજ ગામના (1) ધવલ જીતાભાઈ વાસુ (2) નરેન્દ્ર વાસુ (3) જીતા મારાજ (4) હર્ષ વાસુ (5) વિજય ભટ (6) જયેશ ભટ સાથે આજથી પાંચ છ મહીના પહેલા સામ સામે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી તા.19-4 ના રાત્રીના સમયે ધવલ, નરેન્દ્ર, જીતાભાઇ, હર્ષ, વિજય અને જયેશે ગેરકાયદે મંડળી રચી પ્રાણ ઘાતક હથીયારો લોખંડ નો પાઈપ તેમજ લાકડીઓ જેવા હથીયારો સાથે પ્રકાશભાઇના રહેણાંક મકાનમાં મકાનમાં જબરદસતીથી ઘુસી જઇ પ્રકાશભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં તેમને ડાબા પગમાં તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થઇ હતી, આ ઉપરાંત ઉપરોકત્ત આરોપીઓએ પ્રકાશભાઇના પિતા સુભાષભાઈ ઉપર પણ લાકડીઓ વડે અને તેમના માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઉપરોકત્ત બનાવ અંગે પ્રકાશભાઇ સુભાષભાઇ મથ્થર મેઘર પોલીસ સ્ટેશનમાં (1) ધવલ જીતાભાઈ વાસુ (2) નરેન્દ્ર વાસુ (3) જીતા મારાજ (4) હર્ષ વાસુ (5) વિજય ભટ (6) જયેશ ભટ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ઉપરોકત્ત 6 આરોપીઓ વિરૂઘ્ધ આઈપીસી કલમ 143,147,148,149,326,325,323 , 452 જી એક્ટ ની કલમ 135 (1) તેમજ ડીઝાસ્ટર મેનેજ્મેંટ એક્ટ 2005 ની કલમ 51(બી) તેમજ મહામારી 1897 ની કલમ (3) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ મેઘપર પડાણા પો.સ્ટેશનના પીએસઆઇ કે.આર. સીસોદીયા ચલાવી રહ્યા છે.