Home Gujarat Jamnagar જામનગર મ્યુ.કોર્પો.ના સત્તાધીશોની વરણી મેયરનો તાજ બીનાબેન કોઠારીના શીરે ડે.મેયર...

જામનગર મ્યુ.કોર્પો.ના સત્તાધીશોની વરણી મેયરનો તાજ બીનાબેન કોઠારીના શીરે ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કુસુમબેન પંડયા, શાસક પક્ષના નેતા તરીકે કેતન ગોસરાનીની નિમણુંક  સભ્ય માં પુથ્વીરાજસિહ ઝાલા તથા જયરાજસિંહ જાડેજાનો સમાવેશ.

0

જામનગર મ્યુ.કોર્પો.ના સત્તાધીશોની વરણી

મેયરનો તાજ બીનાબેન કોઠારીના શીરે ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા તરીકે નિમણુંક  સભ્ય માં પુથ્વીરાજસિહ ઝાલા તથા જયરાજસિંહ જાડેજાનો સમાવેશ.

દેશ દેવી ન્યુંઝ નેટવર્ક : જામનગર:

જામનગર મહાનગર પાલીકાની ચુંટણી યોજાયા બાદ  ભાજપને જંગી બહુમતી મળતા આજે જામનગર ખાતે જામનગર જીલ્લાના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી દ્વારા મેયર સહીતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે.

જયારે ડેપ્યુટી મેયર તરીકે તપનભાઇ પરમારની નિમણુંક કરાઇ છે.

જયારે જામનગર કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે મનીષ કટારીયા તથા દંડક તરીકે કેતન ગોસરાની અને શાસક પક્ષના નેતા તરીકે કુસુમબેન પંડયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

જામ્યુકો સ્ટેન્ડીંગ કમીટીના 12 સભ્યો
જયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ જોષી, કેશુભાઇ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, કિસનભાઇ માડમ, અરવિંદભાઇ સભાયા, દિવ્યેશભાઇ અકબરી, નિલેશભાઇ કગથરા, ક્રિષ્નાબેન સોઢા, બબીતાબેન લાલવાણી, મનીષભાઇ કટારીયા અને વિનોદભાઇ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version