જામનગર જિલ્લા જેલના 100 કેદીઓને પણ કોરોના વેક્સિન અપાઇ

0
239

જામનગર જિલ્લા જેલના 100 કેદીઓને પણ કોરોના વેક્સિન અપાઇ.

જામનગર,હાલમાં ફેલાયેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના અનુસંધાને જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લાજેલના ઇન્ચાર્જ .અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલીકાના સહયોગથી જામનગર જિલ્લા જેલ ખાતેજેલના બંદિવાનોને કોવિડ-19 પ્રતિરોધક રસીકરણ કેમ્પનુંઆયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં 84 જેલના કાચા આરોપી,15પાકા કેદી, તથા પાસા અટકાયતી હેઠળના 01 એમ કુલ મળી 100 બંદિવાનોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

આ કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.ધારાબેન ત્રિવેદી તથા મેડીકલ સ્ટાફ,જામનગર જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા, જનરલ સુબેદારશ્રી બાબુભાઇ જી.પરમાર,ફિઝીશ્યન શ્રી ડો.સી.એસ.ડાંગેરા, ડો.મલય આચાર્ય,ડો.સુનિલ પ્રસાદ તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.