જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં તા.10 એપ્રિલના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

0
196

જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં તા.10 એપ્રિલના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.

જામનગર,નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર તા.10એપ્રિલ 2021ના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપત્ર કેસ, નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, વિજળી અને પાણી બિલ(સમાધાન પાત્ર ન હોય તે સિવાયના),કૌટુંબીક તકરારના કેસ,જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ(ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ), અન્ય સીવીલ કેસ(ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ વગેરે કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલ્સાના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોક્ત જણાવેલ પેન્ડીંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માગતા હોય તો તેઓના વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા અનુરોધ છે.

લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નીકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.

લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફોન નં. 0288-2550106 ઉપર સંપર્ક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળજામનગરના ઈ.સચિવશ્રીની યાદીમાં જણાવાયુ છે.