જામનગર કાલાવડના ભાવભી ખીજડીયા નજીક  બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત એક નું મોત

0
286

જામનગર કાલાવડના ભાવભી ખીજડીયા નજીક 
બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત એક નું મોત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર

જામનગરના કાલાવડ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કારમાં બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડેલ તેમાં બે બાળકો સહિત 7 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલ તેમાંથી એક નું મોત થયેલ હોય અન્ય બે વ્યકિતને માથાના ભાગે ગંભીર  ઇજા થવાથી સીટી સ્કેન માં હેમરેજ હોવાનું ડોક્ટરે જણાવતા વધુ સારવાર અર્થે જામનગર બહારની હોસ્પીટલમાં ખસડેલ.

પ્રાપ્ત વિગત મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં ભોગ બનનાર બે નાના બાળકો અને એક બાળકી નોં ચમત્કારિક બચાવ થયેલ હોય તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત જી.જી હોસ્પિટલ લઇ આવતા બાળકોની ચિચયાટીથી વાતાવરણ શોકમય બની ગયું