જામનગર એલસીબીનો સપાટો : પટેલ કોલોની શેરી નંબર 7-8 રાજપથ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો : પાંચ ઝડપાયા, બે ફરાર.

0
744

જામનગર એલસીબીનો સપાટો : પટેલ કોલોની શેરી નંબર 7-8 રાજપથ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો : પાંચ ઝડપાયા, બે ફરાર.

રોકડ રૂા.29.500, બે બાઇક અને પાંચ મોબાઇલ મળી રૂા.1.5 લાખનો મુદ્દામાલ જપ્ત

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી.ના પો.ઇન્સ. કે.જી. ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા  પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયસિહ ઝાલા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા પટેલ કોલોની શેરી નંબર 7 – 8 વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં  આરોપી સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબારના રહેણાંક ફલેટમાં ચાલી રહેલા જુગાર ઉપર પોલીસે દરોડા પાડ્યો હતો, આ જુગારના દરોડામાં રોકડ રૂા. 29.500/-, બે મો.સા. કિ. રૂ. 60,000/- તથા પાચ મોબાઇલ ફોન કિ.રૂ. 16000/- તથા ગંજીપતાના પાના મળી કુલ રૂા.1.5 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

જયારે જુગાર રમી રહેલા
(1) સ્મીતભાઇ બીપીનભાઇ કાનાબાર રહે. પટેલ કોલોની શેરી નંબર 7-8, રાજપથ એપાર્ટમેન્ટ જામનગર.
(ર) પ્રતાપસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. નવાગામધેડ, બાપુનગર શેરી નંબર-4, દવાખાના પાસે, જામનગર.
(3) મુકેશભાઇ મંગલદાસ મોદી રહે. પટેલ કોલોની શેરી નંબર-2, રોડ નંબર-ર, જામનગર
(4) દિનેશભાઇ શરદભાઇ શીંગાળા રહે. નવાગામધેડ, ગોપાલચોક, જામનગર
(5) રમેશભાઇ નાનજીભાઇ ડાભી રહે. પટેલ કોલોની શેરી નંબર-9 ના છેડે શાંતીનગર શેરી નંબર-ર જામનગર ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે
(1) હરપાલસિંહ જાડેજા રહે. નવાઞામધેડ, જામનગર
(2) સાગરભાઇ રાઠોડ કોળી રહે. નવાગામધેડ, ખડખડનગર જામનગર
બે શખસ ફરાર થવામાં સફળ થયા હતા જેને ઝડપી લેવા પોલીસ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી. શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા, રઘ્યુભા પરમાર. ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંફ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્રારા કરવામા આવેલ છે.