જામનગરમાં શિવરાત્રિ નિમિતે મહાકાલ સેના દ્વારા બાર જ્યોતિલિંગ ની ઝાંખી કરાવતા શિવલિંગોનું આયોજન શિવનૃત્ય અને મહાઆરતી પણ યોજાશે : યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ

0
69

જામનગરમાં શિવરાત્રિ નિમિતે મહાકાલ સેના દ્વારા બાર જ્યોતિલિંગ ની ઝાંખી કરાવતા શિવલિંગોનું આયોજન શિવનૃત્ય અને મહાઆરતી પણ યોજાશે : યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

છોટીકાશી થી પ્રસિઘ્ધ જામનગર શહેર માં મહાકાલ સેના દ્વારા બૃક બોન્ડ ગ્રાઉન્ડ , ગાંધીનગર રોડ ખાતે આગામી તારીખ 11 માર્ચ મહાશિવરાત્રિ ના પર્વ નિમિતે શિવભક્તો માટે ભવ્ય શિવલિંગ અને બાર જ્યોતિલિંગ ના ઝાંખી ધરાવતા શિવલિંગો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તેની સાથે મહાશિવરાત્રિ ના પર્વ નિમિતે શિવ નૃત્ય અને મહાઆરતી નો લાભ લેવા મહાકાલ સેના દ્વારા સર્વે શિવભક્તો અને જનતા ને નિમંત્રણ પાઠવ્યું છે.આ મહોત્સવ માં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત કરણી સેના ગુજરાત મહિલા પાંખ પ્રદેશ અધ્યક્ષ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને ક્ષત્રિય યુવા અગ્રણી ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.