જામનગરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો : 3 ની ધરપકડ મોટા માથા સહિત ૧૬ આરોપી ફરાર.

0
978

જામનગરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો : 3 ની ધરપકડ ૧૬ આરોપી ફરાર

શહેરના નાગરચકલામાં સરાના કુવા પાસે ક્રીકેટના કંટ્રોલ રૂમ પર પોલીસનો દરોડો.

રૂા.36,000/- તથા ક્રીકેટના સટ્ટાનું સાહિત્ય/મોબાઇલ મળી કુલ રૂા.61.000નો મુદ્દામાલ જપ્ત.

ક્રિકેટના જુગાર પર જામનગર પેરોલ/ફર્લો સ્ક્વોડની તવાઇ.

જામનગર : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલ.સી.બી. પો.ઈન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો. હેંડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચ તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ નાઓને હકીકત મળેલ કે, જામનગર નાગરચકલા સરા ના કુવા વાળી શેરીમાં રહેતો તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા પોતાના રહેણાક મકાને આઇપીએલ 20-20 કિક્રેટ ટુનામેન્ટની મેચો ટીવી ઉપર નીહાળી મોબાઇલ ફોનથી રન ફેર, બેટીંગ, વીકેટ, સેસન તથા મેચના હારજીતના પરીણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે છે, અને હાલ આ ક્રીકેટનો સટ્ટો રમવાનું ચાલુ છે જે હકીકતના આધારે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા.

(1) તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા (ઉ.વ.-59 ધંધો- ટ્યુશન ક્લાસ રહેવાસી- સરા નો કુવો નાગર યકલો જામનગર.

(2) અનીલ અર્જુનભાધ દુલાણી (ધંધો- વેપાર રહેવાસી સુંદરમ કોલોની પુષ્કર એપાર્ટમેન્ટ બીજા માળે રૂમ ન.20ર નેશનલ કોલેજ પાછળ ચકલો જામનગર.

( 3) સુરેશ ઉર્ફે એસ.એસ. રીજુમલ કુકડીયા(ધંધો- બકાલાનો વેપાર રહેવાસી જોલી બંગલા દિપ્લોટ શેરી નં.66 ની બાજુમા લીલાશાહ ધર્મશાળા જામનગર)ને ઝડપી લેવાયા હતા.

આ દરોડામાં રોકડા રૂા.36000/- તથા ક્રીકેટનુ સાહીત્ય ટીવી/સેટટોપ બોક્ષ તથા મોબાઇલ કુલ રૂ-61000/ ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉપરોકત્ત ત્રણ ઇસમ સાથે મોબાઇલ ઉપર ક્રિકેટનો જુગાર રમતા કુલ 16 ઇસમને ફરારી જાહેર કરવામાં આવેલ છે.

ઉપરોકત્ત ત્રણેય ઇસમને પો. સબ ઈન્સ. એ.એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણન તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાંગરનાઓએ કરેલ છે.