જામનગરના રાજમાર્ગ પર ભિખારી નો અડીંગો. નવયુક્ત મેયરને શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવાની તાતી જરૂર.

0
82

જામનગરના રાજમાર્ગ પર ભિખારી નો અડીંગો.

નવયુક્ત મેયરને શહેરમાં સરપ્રાઈઝ ચેકીગ કરવાની તાતી જરૂર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : જામનગર.

જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગ પર ભિખારી નો કબ્જો.

તંત્ર પાસે ફુરસત નથી.!

જામનગર શહેરના મુખ્ય માર્ગ જેવા કે પ્રદર્શન ગ્રાઉન્ડ જજ બંગલાની સામે,પંડિત નહેરુ માર્ગ ડીકેવી સર્કલ , ભીંડ ભજન રોડ, ત્રણબત્તી, ટાઉન હોલ સર્કલ,લાખોટા તળાવ એસટી ડેપો સાત રસ્તા જાડા ની સામે, જી.જી.હોસ્પિટલની સામે હનુમાન ગેઇટની પાછળ , પવન ચક્કી જેવા રાજમાર્ગ પર ભીખારીઓ ના કબ્જા હોય તેવું લાગી રહ્યું છે.

જામનગરની સુંદરતાને બાનમાં લઇ લીધી હોય તેવું ચિત્ર વર્તાય રહ્યું છે.

ખાસ કરીને આયુર્વેદિક યુનિવર્સિટી ની આજુબાજુ જે ભિખારીઓ રોડ પર અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે તેના કારણે જામનગરની સુંદરતાની સાથોસાથ ઈમેજ પણ ખરાબ કરે છે આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ફોરેનર્સ આ ભિખારીઓને પાંચ રૂપિયા નું  બિસ્કીટ નું પેકેટ આપી સેલ્ફી લઇ પોતાના દેશ માં શેર કરે છે તેમાં એમ પણ લખે છે કે ગુજરાતના જામનગર માં બહુ ગરીબી છે.

આવા ભિક્ષુકો ના કારણે જામનગર ની છબી ખરડાઇ રહી છે.

શહેરના જાહેર રાજમાર્ગ પર સવારથી સાંજ સુધી ગાદલા ગોદળા ધોડીયુ ચુલા જેવી ધર-વખરી લઈને મહિનાઓ સુધી પડયા રહે છે છતાં તંત્રના ધ્યાને ન આવે તે બહુ ગંભીર બાબત કહેવાય ધનવંતરી ગ્રાઉન્ડ ની દીવાલે છેલ્લા કેટલાક સમયથી ભિખારીઓ એ અડીંગો જમાવીનેે ગંદકી ના ગઢ કરી જામનગરની સુંદરતા છીનવી રહ્યા છે.

છતા મનપાના આંખે પાટા છે. કે હમદર્દી. !

મ્યું. કમિશ્મર દિવસમાં ચાર વખત આ રોડ પરથી પસાર થાય છે પણ તેને રસ નથી.! હાલ તો જામનગરમાં ભિખારી રાજ હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા શહેરમાંથી ભિખારી નો કાયમી નિકાલ કરશે કે કેમ.! તે જોવાનું  રહ્યુંં