Home Gujarat Jamnagar જામનગરના રાજકીય વગ ધરાવતા અરવિંદ પાબારી અને પુત્ર જય પાબારી વિરૂઘ્ધ ખોટી...

જામનગરના રાજકીય વગ ધરાવતા અરવિંદ પાબારી અને પુત્ર જય પાબારી વિરૂઘ્ધ ખોટી ફરિયાદ કરવા સબબ જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત.

0

જામનગરના રાજકીય વગ ધરાવતા અરવિંદ પાબારી અને પુત્ર જય પાબારી વિરૂઘ્ધ ખોટી ફરિયાદ કરવા સબબ જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત.

જામનગરના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા આસામીને પૈસા ચૂકવવા ન પડે તે માટે ખોટી ફરિયાદો કરનાર સામે યોગ્ય અને તટસ્થ તપાસ કરવા જીલ્લા પોલીસવડાને રજૂઆત.

મિત્રો અને અન્યો પાસેથી હાથ ઉછીના લીધેલ પૈસા પરત ન કરવા પડે તે માટે રાજકીય વગ ધરાવતા અરવિંદભાઇ પાબારી અને તેમનો પુત્ર જય પાબારી દ્વારા પ્રપંચ રચ્યાનો રજુઆતમાં દાવો.

અરજદારે કાનુની નોટીસ મોકલ્યા બાદ બંને પિત્રા-પુત્રએ પ્રપંચ રચતા તેઓની ધરપકડ કરી યોગ્ય તપાસ કરવા રજૂઆત.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગરના ગેલેકસી સીનેમા રોડ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દેવેન્દ્રસિંહ ખાનુભા પરમારે જીલ્લા પોલીસવડા સમક્ષ જામનગરના અરવિંદભાઇ જમનાદાસ પાબારી દ્વારા તેમના વિરૂઘ્ધ નોંધાવેલ ફરિયાદ એકદમ મનઘડત અને ખોટી રીતે હોય જે અંગે યોગ્ય અને તટસ્થ તપાસ કરવા લેખીતમાં રજૂઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે, તેમના ઉપર ફરિયાદ કરનાર અરવિંદભાઇ પાબારી રાજકીય વગ ધરાવતા હોય અને તેમનો પુત્ર જય પાબારીને સટ્ટો રમવાની ટેવ ધરાવતો હોય અને જામનગરમાં અનેક વ્યક્તિઓ પાસેથી સંબંધ અને મિત્રતાના દાવે અનેક વખત હાથ ઉછીના પૈસા લીધેલ છે અને તે પૈસા પરત ન કરવા પડે તે માટે અરવિંદભાઇ અને તેમના પુત્ર જય પાબારીએ એક સાથે મળીને જે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલ છે તેમના ઉપર ખોટી અને મનઘડત રીતે ફરિયાદો કરે છે.

દેવેન્દ્રસિંહ ખાનુભા પરમાર દ્વારા જીલ્લા પોલીસવડાને કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે,
અમો અરજદાર ઉપરોક્ત સરનામે રહીએ છીએ. અને અમો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીએ છીએ. કે, અમો અરજદાર ઉપર જામનગર સીટી “સી” ડીવી. પો. સ્ટે. માં ગુ.ર.નં.. 112022002211403/21 થી 12 એ ની કલમ 386, 387, 504, 506(2), તથા નાણા ધીરધાર કરનાર બાબત અધ્રિનિયમ ની કલમ 5, 40, 42 મુજબ નો ગુન્હો તા. 04/06/2021 ના રોજ નોધાયેલ છે. અને જે ફરીયાદ અરવિંદભાઈ જમનાદાસ પાબારી દ્વારા નોંધાવવામાં આવેલ છે. આ કામના ફરીયાદી ખુબજ રાજકીય વગ ધરાવતા વ્યક્તિ છે. અને તેમનો પુત્ર જય પાબારી છે. તે જામનગરના ઘણા વ્યકિતઓનો મિત્ર હોય અને મિત્રતાના દાવે ધંધો કરવા અને અન્ય કામ સબબ મોટી રકમ લેતા હોય છે પરંતુ પાછળથી અમોને ખબર પડેલ કે જય પાબારીને સટ્ટો રમવાની આદત હોય જેથી અવાર-નવાર મિત્રો પાસેથી હાથ ઉછીના પેસાની લેતી-દેતી કરતો હોય છે. અને જય પાબારી કે જેને સદ્દો રમવા માટે અનેક વ્યક્તિઓ પાસેથી મોટી રકમ હાથ ઉછીની લીધેલ છે. આ રકમ ચૂકવવી ના પડે તેથી જય પાબારી જામનગરમાં તેના પિતા (હાલ ના ફરિયાદી) સાથે રહેતા હોય અને ફરિયાદી ને જાણ પણ હોય તેના પુત્ર ક્યાં છે અને માત્ર કોઈને પૈસા યુકવવા ના પડે ર તે માટે હાલના ફરિયાદી દ્વારા અવાર-નવાર ફરિયાદ કરતા હોય છે. જેથી અમો અરજદાર ઉપર પણ ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. જે અંગે નીચે મુજબના મુદાઓની યોગ્ય તપાસ થાય તો સ્પષ્ટ થાય તેમ છે કે ફરિયાદ અને તેમના પુત્ર જય પાબારી મિલાપી થઇ પેસા ના ચુકવવા માટે રાજકીય વગનો ઉપયોગ કરી તદન ખોટી અને મનધડીત ફરિયાદ નોંધાવતા હોય છે. જે ધ્યાને લેવા તેમજ હાલના ગુન્હાની યોગ્ય તપાસ કરી અમારી ધરપકડ કરવા નમ્ર અરજ છે.

મુદા નં. (1) ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદી ના પુત્ર જય પાબારીના પત્ની અને તેના દીકરો રજ ફરિયાદી સાથે રહે છે. છતા ફરિયાદી કહે છે કે તા. 30/07/2019 થી મારો પુત્ર પોતાનો મોબાઇલ મૂકી ક્યાંક જતો રહેલ છે. તો જોવામાં આવે તો ફરીયાદી તેના પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. ફરિયાદીના કથન મુજબ તેનો પુત્ર જય પાબારી આશરે બે વર્ષ થી ચાલ્યો ગયેલ હોય તેની કોઈ પોલીસમાં અરજી અહેવાલ કે જાણવા જોગ કરેલ નથી તે ધ્યાને લેવા તેમજ તેના ઘરના જ એ.0.1.. જોવામાં આવે તો જય પાબારી ઘરે આવે અને જાય છે. તેના માટે ફરિયાદી તથા તેના પુત્રવધુ તથા તેના પૌત્રની તટસ્થ રીતે પૂછપરછ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ રહે.

મુદા નં.(2) અમો અરજદાર અને જય પાબારી મિત્ર હોય અને અમો અરજદારને પણ જય પાબારી પાસે 72 લાખ રૂપિયા લેવાના હોય જે અંગે અમારા વકીલ મારફત કાનૂની નોટીસ પોસ્ટ ખાતાના રજી. એ.ડી. મારફત તા.12/05/2021 ના રોજ મોકલેલ હોય જે નોટીસ 18/05/2021 ના રોજ ડીલીવર રી થયેલ હોય તેના પિતા દ્વારા ખોટો શેરો મરાવેલ હોય લેનાર પાર્ટી ઘર મૂકી ચાલ્યા ગયેલ છે જેથી થુ ફરીયાદમાં જણાવેલ વ્યાજના પેસા નો કોઈ પ્રશ્નો નથી અને જય પાબારી ઉપર જામનગરની કોર્ટમાં મોટી રકમના નેગોશીએબલ ઇન્સટ્ુમેન્ટ એક્ટ -138 તળે અન્ય કેસ ચાલે છે. જેથી જય પાબારી સબંધના દાવે મોટી રકમ મિત્રો પાસેથી લે છે. અને સટ્ટો રમે છે. જે જામનગરની કોર્ટમાં ફો.કે.નં.- 3130/2019 તથા 3044/2020 પેન્ડીંગ છે.

જે અમારા ધ્યાનમાં છે. બીજા અન્ય કેસોની તપાસ કરવામાં આવે તો તે પણ છે. આમ ફરિયાદીનો પુત્ર જય પાબારી મોટી રકમ સબંધમાં લે છે. જે સાબિત થાય છે. અને ફરિયાદીએ તેથી જ બે વર્ષ પહેલા કોઈ ફરિયાદ કરેલ નથી અને અમો અરજદારે નોટીસ વ્યવહાર કરેલ અને નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટ તળે ફરિયાદ થશે તેથી તેનો બચાવ કરવા અને અમોને દબાણમાં લાવવા હાલની ફરિયાદ કરેલ છે. જે તમામ રેકોર્ડ અમારી પાસે છે જેથી તે અંગે આ કામમાં તટસ્થ તપાસ કરવા નમ્ર અરજ છે.

મુદાનં. (3) ફરીયાદી દ્વારા તેવું ફરિયાદમાં લખાવેલ છે કે તા. 30/07/2019 ના રોજ તેમનો પુત્ર અમારાથી ડરીને ચાલ્યો ગયેલ છે. તે તદન ખોટી અને મનઘડિત વાત છે. કારણ કે ફરિયાદી રાજકીય વગના કારણે પોતાના પુત્રને કોઈને પૈસા ના આપવા પડે તેથી જામનગર પંચ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.- 44/2019 થી મ00 ની કલમ 386, 392, 427, 504, 506(ર), 507 તથા મની લેન્ડર એક્ટ કલમ-5-33 મુજબનો ગુનો તા. 22/07/2019 ના રોજ હાલના ફરિયાદી દ્વારા આરોપી વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા વિરુદ્ધ નોધાવેલ હતી અને જે ફરીયાદ જોવામાં આવે અને હાલની ફરિયાદ જોવામાં આવે તો પૈસા ની લેતી-દેતીના પ્રશ્નો છે. અને મોટી રકમની લેતી-દેતીના પ્રશ્નો છે. અને બાદના આઠ દિવસ બાદ ફરીયાદીના પુત્ર જય પાબારીને ફરિયાદી દ્વારા જ બહારગામ મોકલેલ હોય જેની જાણકારી અમારી પાસે છે.

કારણ કે ત્યારબાદ 2020 માં પણ અમારે ફરીયાદીના પુત્ર સાથે અવાર-નવાર મેસેજ તથા ટેલીફોનીક વાતચીત થયેલ છે અને પૈસા પણ અમો અરજદાર તેમને આપેલ છે. અમારે ફરીયાદીના પણ જય પાબારી સાથે વાત થયેલ છે. જેનો ફેસબુકનો રેકોર્ડ અમારી પાસે છે. જેમાં સતત અમારે વાત-ચિત થયેલ છે અને ફરિયાદી તથા તેના પુત્ર બંને સંપર્ક માં જ હતા. જે પણ તપાસ થવી જરૂરી છે તેમજ અમોએ કાનૂની નોટીસ મોકલેલ અને અમારા પેસા ના ચુકવવા પડે તે માટે હાલ ની ફરીયાદ કરેલ છે. અને ફરિયાદી નો પુત્ર જામનગર આવતો-જતો હોય અને ફરિયાદીને જાણ હોય કે તે ક્યાં છે. જેથી તેની તટસ્થ તપાસ કરવી જરૂરી છે અને અમારી પાસે તમામ રેકોર્ડ છે.

મુદા નં. (4) અમો અરજદારે ફરિયાદીને કે તેમના પુત્ર ને કોઈ ધમકી આપેલ નથી. તેમજ ફરીયાદમાં જણાવેલ પાંચ લાખનું સોનું પડાવી લીધેલ છે તે વાત તદન ખોટી છે, જે ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદ દ્વારા બધે તારીખ છે પણ ક્યારે, ક્યાંથી, કઈ તારીખે સોનું અમોને આપેલ તે જણાવેલ નથી. તથા શું-શું આપેલ તે જણાવેલ નથી. અને તેમના ઘરમા સીસીટીવી છે તો કઈ તારીખે સોનું આપેલ તે અંગેનો કોઈ ખુલાસો નથી માત્ર રાજકીય વગને કારણે અમારી ઉપર ભારે કલમો લગાડવા અને અમોને પૈસા ના આપવા પડે જેથી તે ખોટું લખાવેલ છે. અને ખોટી ફરિયાદ કરેલ છે. જેની પણ તપાસ કરવા નમ્ર અરજ છે.

મુદા નં. (5) ફરીયાદમાં જણાવેલ તા. 08/04/2021 ના મેસેજમાં જણાવેલ તમામ વાત ખોટી છે તે મેસેજ અમારી પાસે છે. અને અમારે જય પાબારી સાથે મિત્રતા હોય જેઘી મેસેજ પૈસાની માંગણીનો કરેલ છે. ત્યારે જય પાબારી ઘરે જ હતો જે અમોને જાણમાં છે. જેની તપાસ કરવા અરજ છે. તેમજ તા.14/04/2021 ના બનાવ અંગેની વાતમાં જોવામાં આવે તો અમારે ફરિયાદી સાથે મળવાનું થયેલ જ નથી. તે અંગે ફરિયાદીએ કોઈ ફરિયાદ કરેલ નથી તો જાનથી મારી નાખવાની ધમકી નો કોઈ પ્રશ્ન નથી. પરંતુ અમોએ લીગલ નોટિસ મોકલેલ હોય જેના પેસા ના આપવા પડે જેથી હાલ ની ફરિયાદ કરેલ છે. જેની તટસ્થ તપાસ કરવા નમ્ર અરજ છે. ઉપરોક્ત તમામ મુદાની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ જય પાબારી (ફરિયાદીના પુત્ર)
જામનગરમાં ઘણા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ હાથ ઉછીના લઇ સટ્ટો રમેલ હોય અને હારી ગયેલ હોય જે રકમ ન ચૂકવી પડે તેથી ફરીયાદી દ્વારા તદન ખોટી અને મન ઘડિત ફરીયાદો કરતા હોય છે. જે અંગે અગાઉ પણ પૈસાની લેતી-દેતી કે જે જય પાબારીની છે તે અંગેની ફરિયાદો હાલના ફરિયાદી દ્વારા નોંધાવેલ હોય જે નીચે મુજબ છે.

(1) જામ. પંચ બી ડીવી. પો. સ્ટે. મ ગુ.ર.નં. 44/19 120 ની કલમ- 386, 392, 427, 504, 506(2), મની લેન્ડર એક્ટની કલમ-5-33,
(ર) જામ. સીટી સી ડીવી. પો. સ્ટે. ગુ,ર.નં. 01171/220 મ20 ની કલમ 3ર3, 386, 506(2), 120(બી), 427 તથા જી.પી. એકટની કલમ 135 (1) મુજબ, (3) હાલ ની ફરીયાદ

ઉપરોક્ત ત્રણ ફરિયાદો જોવામાં આવે તો ત્રણે ફરીયાદમાં બળજબરી કઢાવી લેવાની મ2એ ની કલમ 386 છે. જેમાં દશ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ ત્રણેય ફરિયાદમાં ફરિયાદીના પુત્ર જય પાબારી ની પૈસાની ચુકવણી ને પણ મોટી રકમ ની છે જે અંગેની પણ તપાસ કરવી જરૂરી હોય અને ફરીયાદ ના પુત્ર વિરુદ્ધ જામનગર ની કોર્ટમાં અન્ય નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ના ચાલતા કેસો જોવા માં આવે તેમજ અમોએ મોકલેલ નોટીસ બાદ તુરંત હાલ ની ફરીયાદ કરવામાં આવે છે અને તેના પુત્ર ક્યાં છે તેની જાન હોવા છતા ખોટી માહિતી આપેલ હોય તે તમામ તટસ્થ તપાસ કરવા મનર અરજ છે અને હાલ ની ફ્હારીયાદ ખોટી છે તે સાબિત થાય છે.

આમ ઉપરોક્ત વિગતો એ ફરીયાદી દ્વારા તેના પણ જય પાબારી હાથ ઉછીની રકમ પરત ન ચુકવી પડે અને નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138 ના કેસો બચાવ કરવા રાજકીય વર્ગ થી ખોટી અને મનઘડિત ફરિયાદો કરવાની ટેવ વાળા હોય તો તે તટસ્થ તપાસ કરવા અને ઉચ્ચ કક્ષાની પોલીસ એજન્સીને તપાસ કરવા દેવામાં આવે તો તમામ હકીકત સ્પષ્ટ થાય અને ખોટી ફરીયાદ કરવા સબબ ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ કરવા નમ્ર અરજ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version